લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

વજન ઓછું કરવા માટે કરો આ વસ્તુ નું સેવન અને 4 દિવસ માં જ જુવો ખૂબ ફર્ક દેખાશે આજે જ અજમાવો

Posted by

કાળૂ જીરું એક પ્રકારનો મસાલો હોય છે અને આ મસાલામાં ઘણી ઑષધીય ગુણધર્મો મોજૂદ હોય છે જે તેને અન્ય મસાલાઓથી અત્યંત અલગ બનાવે છે. આ મસાલાનો ઉપયોગ મોટાભાગે શાક બનાવતી વખતે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ મસાલા ખાવાથી શરીરને મોટો ફાયદો થાય છે અને આ મસાલા અનેક રોગો પણ મટાડવાનું કામ કરે છે.

 

કાળા જીરુંનો જાદુઈ ફાયદો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કાળૂ જીરું અત્યંત અસરકારક છે અને તેનું સેવન રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી શરીરને ઘણા રોગ ઉત્પન કરતા બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે.

 

વધારે વજનથી પીડિત લોકો માટે કાળૂ જીરું કોઈ જાદુઈ વસ્તુથી ઓછું નથી અને જીરાનું સેવન કરવાથી શરીરની ચરબી ઓછી થઈ જાઈ છે. જેને ચરબી ઓછી કરવી છે તેઓએ સતત ત્રણ મહિના સુધી કાળા જીરાનું સેવન કરવું જોઈએ. ખરેખર કાળૂ જીરું શરીરમાં હાજર ચરબી ઓગળવાનું કામ કરે છે અને આને કારણે તમારું વજન ઓછું થઇ જાઈ છે. તમે કાળા જીરુંને કાતો પાણીની સાથે પી શકો છો અથવા તમે તેને શાક અથવા દહીં માં ઉમેરીને પણ ખાઈ શકો છો.

 

કાળા જીરુંની મદદથી પેટને લગતા અનેક રોગોને સુધારી શકાય છે. જો તમે ગેસ, પેટનું ફૂલવું અથવા ખોરાક યોગ્ય રીતે પચતો નથી તો તમારે રાત્રે સૂતા પહેલા કાળા જીરુંનું સેવન કરવું જોઈએ. જીરું ખાવાથી તમારી પાચક સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરવાનું શરૂ કરશે અને તમને કબજિયાતની કોઈ સમસ્યા નહીં થાય.

 

જો તમને માથાનો દુખાવો થાય છે તો કાળા જીરા ના તેલથી તમારા માથાની ચામડી પર માલિશ કરવાથી રાહત મળશે.અને જો દાંતમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થાય છે તો તેનું તેલ દાંત પર લગાવો અથવા ગરમ પાણીમાં કાળા જીરા ના તેલ ને ભેળવીને આ પાણી થી દિવસ માં બે વાર કોગળા કરો.

 

જો ઈજાના ઘા પર કાળૂ જીરું નાખો તો ઘા જલ્દી મટી જાઈ છે અને તે ઘાનો કોઈ ચેપ લાગતો નથી. તમે ફક્ત કાળા જીરા ને પીસીને પેસ્ટ બનાવો અને પછી તેને તમારા ઘા પર લગાવો.

 

જ્યારે તમને શરદી થાય છે ત્યારે થોડું જીરું તળી લો અને આ જીરાને કપડા અથવા રૂમાલમાં બાંધી રાખો અને પછી આ કપડાને સુઘવું. કાળા જીરાની સુગંધ તમારા નાકને સંપૂર્ણ રીતે ખોલશે અને લાળ પણ બહાર આવવા લાગશે. આ સિવાય જેને અસ્થમા, ખાંસી અથવા કોઈ પણ પ્રકારની એલર્જી હોય છે તો તેના માટે કાળા જીરાનું સેવન ફાયદાકારક છે.

 

કાળા જીરા ને ઘણી રીતે ખાઈ શકાય છે તમે તેને શેકીને તેનો પાઉડર બનાવી શકો છો અથવા તો તમે દુકાનમાં વેચાતા કાળા જીરુંનો પાઉડર પણ ખાઈ શકો છો. જો કે યાદ રાખો તમારે આ પાવડરને ફક્ત હળવા ગરમ પાણી સાથેજ ખાવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *