લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

પુત્રના લગ્ન થાય ત્યારે એક માં ના મન માં ચાલે છે આ 10 વિચાર, પુત્ર અને પુત્ર વહુ જરૂર વાંચો

Posted by

એક પુત્રને એની માં કરતા કોઇ સારી રીતે જાણી શકતું નથી પુત્ર તેની આખી દુનિયા છે. માતા હંમેશાં બાળકના જન્મથી લઈને તેના અંતિમ શ્વાસ સુધીની દરેક વસ્તુમાં પ્રાધાન્ય આપે છે. જ્યારે પુત્ર જીવનમાં એક અલગ સ્થાન મેળવે છે, ત્યારે સૌથી વધારે ખુશી એની માં ને થાય છે. બીજી બાજુ, પુત્રમાં ને બદલવા માં પણ એટલો જ પ્રેમ આપે છે.

જો કે, જ્યારે પુત્રના લગ્ન થાય છે તો આ બધા સમીકરણો બદલાય જાય છે.વહુ ના આવ્યા બાદ પુત્રનો પ્રેમ માં ભાગ પડે છે ઘણા કિસ્સાઓમાં, પુત્ર લગ્ન પછી માંથી અલગ પણ પડે છે આજ કારણ છે કે કોઇ પણ માં માટે એના પુત્રના લગ્ન એક મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. એક બાજુ એને એના લાડલા ના લગ્નની ખુશી થાય છે તો બીજી તરફ થોડી ચિંતાઓ પણ સતાવતી હોય છે.

આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે પુત્રના લગ્ન દરમિયાન માતાના મન માં ચાલે છે.

સૌ પ્રથમ, તો એના આ માનવું મુશ્કેલ છે કે એની આંખો નો તારો, તે કેટલો મોટો થઈ ગયો છે. હવે એ લગ્ન કરશે એકલા પત્ની અને બાળકોની જવાબદારી સંભાળશે.

દરેક માતાને ડર લાગે છે કે માત્ર પુત્રના લગ્ન વિશે વિચાર્યા પછી કે હવે તેણે તેના પુત્રને કોઈ બીજા સાથે શેર કરવો પડશે. પછી તે પણ ચિંતા કરે છે કે પત્નીના આગમન પછી, પુત્રએ તેની માતાને ના ભૂલી જાય. એના પ્રેમમાં કમી ના આવી જાય.

એક માતા એમ પણ વિચારે છે કે પુત્રવહુના આગમન પછી, હું ખાતરી રાખું છું કે તે ઘરમાં સારી રીતે ગોઠવાય અને તે મારી સાથે સારી રીતે રહે. આ રીતે તે, તેનો પુત્ર અને પુત્રવહુ એક જ છત નીચે પ્રેમથી જીવી શકશે.

આવનારી પુત્રવધૂ કેવી હશે? પરિવારમાં વૃદ્ધોનું સન્માન કરશે કે નહીં? પ્રેમથી પરિવારમાં રહેશે કે લડાઈ ઝગડો કરશે? એની અને મારી બનશે કે નહીં. આ બધી વાતો પણ એક માં વિચારે છે.

મોટા ભાગ ના પરિવારમાં ભાગલા પુત્રના લગ્ન કર્યા પછી પડે છે એવામાં એવું વિચારે છે કે કદાચ એની વહુ આવી ના નીકળે અને આખા પરિવારને સાથે રાખીને ચાલે. માં પુત્ર પાસે એ પણ અપેક્ષા રાખે છે કે લગ્ન પછી ઠીક એનો એવો જ ખ્યાલ રાખે જેવો લગ્ન પહેલા રાખતો હતો. વૃધ્ધાવસ્થામાં પુત્રવહુ આપણી સેવા કરશે કે નહીં, આ વિચારો પણ માતાના મનમાં આવે છે.

માતા વિચારે છે કે પુત્રના લગ્ન પછી હું, પુત્ર અને પુત્રવહુ બધા મળીને ખૂબ હસી મજાક કરીશું, ફરવા જઈશું અને સાથે મળીને કામ કરીશું.

પુત્રના લગ્ન પછી,માતા આતુરતાથી તેના પૌત્રોની રાહ જોતી હોય છે. એને ગોદમાં ખવડાવવાનું સ્વપન એ પહેલીથી જોતી હોય છે.

માતા વિચારે છે કે તેના લગ્ન પછી પણ તેનો પુત્ર પ્રિય રહેશે. અને તેના છેલ્લા શ્વાસ સુધીની સંભાળ રાખશે. એક ડર માં ને એ પણ સતાવે છે કે પુત્ર ના લગ્ન પછી એના હસતા ખેલતા પરિવાર ને કોઈની નજર ના લાગે.એનો પરિવાર હંમેશા ખુશ રહે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *