સ્વસ્તિક ખૂબ પવિત્ર ચિન્હ છે અને આ ચિન્હ ને શુભ કાર્ય નું પ્રતીક માનવામાં આવે છે સ્વસ્તિક ચિન્હ નું હિન્દૂ ધર્મ માં ખૂબ મહત્વ છે અને જયારે પણ શુભ કાર્ય કરવામાં આવે છે
ત્યારે આ ચિન્હ ને બનાવામાં આવે છે.સ્વસ્તિક ચિન્હ ને હળદર અને સિંદૂર થી બનવવામાં આવે છે સ્વસ્તિક નો લાભ અને સ્વસ્તિક ચિન્હ થી જોડાયેલી માહિતી આ પ્રમાણે છે.
સ્વસ્તિક નો લાભ સકરાત્મક ઉર્જા વધશે.
જે પ્રથમ લાભ સ્વસ્તિક ચિન્હ થી જોડાયેલ છે એ સકરાત્મક ઉર્જા છે.
સ્વતીક ચિન્હ ને ઘર ના મુખ્ય દરવાજા પર બનાવવાથી ઘરમાં સકરાત્મક ઉર્જા બની રહે છે અને નકારાત્મક ઉર્જા ઘર માં પ્રવેશ નથી કરતી.
માટે તમે ત્યોહાર પર પોતાના ઘરના મુખ્ય દરવાજા પર આ ચિન્હ જરૂર બનાવો
ધન ની પ્રાપ્તિ. સ્વસ્તિક નો લાભ ધનથી પણ જોડાયેલો છે અને આ ચિન્હ ને બનાવવાથી ધન ની પ્રાપ્તિ થાય છે હિન્દૂ ધર્મ અનુસાર સ્વસ્તિક ચિન્હ પર દેવી દેવતા ઓ નો વાશ હોય છે.
અને ઘર ના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક ચિન્હ બનાવવાથી લક્ષ્મી માં પ્રસન્ન થાય છે અને ઘર માં પ્રવેશ કરે છે ધન નો લાભ મેળવવા માટે તમે કોઈ શુભ દિવસે પોતાના ઘર ની દેહલીજ પર કુમકુમ થી ચિન્હ બનાવો.
અને એના પર સોપારી રાખો આવું કરવાથી તમને ધન લાભ જરૂરી થશે.
પૂજા થાય સફળ.
શાસ્ત્રો માં સ્વસ્તિક ચિન્હ વિશે લખ્યું છે કે કોઇ પણ પૂજા ને ચાલુ કરતાં પહેલાં જો સ્વસ્તિક ચિન્હ બનાવવા માં આવે તો પૂજા સફળ થઈ જાય છે.
માટે તમે જ્યારે પણ પૂજા કે હવન કરો છો તો એના પહેલા સ્વસ્તિક ચિન્હ જરૂર બનાવો.
ઘર માં બનાવી રાખે સુખ સમૃદ્ધિ.
ઘર માં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે ઘર ની ઉત્તર દિશા વાળી દીવાલ પર સ્વસ્તિક ચિન્હ બનાવી દો. એવું માનવામાં આવે છે.
કે ઘર ની ઉત્તર દિશા ની દીવાલ પર હળદર થી જો સ્વસ્તિક ચિન્હ બનાવવા માં આવે તો,ઘર માં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે છે.
બધી મનોકામના પૂર્ણ થાય.
પોતાની કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે તમે મંદિર માં જઈ ને એક ઊંધું સ્વસ્તિક ચિન્હ બનાવી દો,અને મનોકામના પોતાના મન માં બોલી દો.
જયારે તમારી મનોકામના પૂર્ણ થાય તે પછી તમે મંદિર માં જઈ ને એક સીધો સ્વસ્તિક ચિન્હ બનાવી દો.
ખરાબ નજરથી બચાવશે.
ઘર ને ખરાબ નજરથી બચાવવા માટે તમે તમારા ઘરમાં મુખ્ય દરવાજા પર કાળા રંગનું સ્વસ્તિક ચિન્હ બનાવી દો કાળા રંગનું સ્વસ્તિક ચિન્હ બનાવવાથી કોઈ પણ ખરાબ નજર તમને અથવા તમારા ઘર ને નહીં લાગે.
સ્વસ્તિક ચિન્હ નું મહત્વ.
આપના વેદોમાં સ્વસ્તિક ચિન્હને ખુશીઓનું પ્રતીક માનવામાં આવે છે સ્વસ્તિક ચિન્હનું મહત્વ બતાવતા વેદો માં લખ્યું છે કે સ્વસ્તિક ચિન્હની ચાર ભુજાઓ લક્ષ્મી,ગણેશજી,શુભ અને મંગલ કાર્ય નું પ્રતીક છે
ગણા લોકો નું એવું માનવું છે કે સ્વસ્તિક ચિન્હ ચાર યુગો સતયુગ,ત્રેતાયુગ,દ્વાપરયુગ,અને કલિયુગ ને દર્શાવે છે.
એવી માન્યતા છે કે વૈદિક ઋષિઓ દ્વારા આ ચિન્હનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ચિન્હ મંગલ ભાવ ને પ્રગટ કરે છે
આ ચિન્હ ને બનાવવાથી જીવન માં ખુશીઓ આવે છે અને દુઃખ દૂર થઈ જાય છે વાસ્તુ શાસ્ત્ર માં સ્વસ્તિક ચિન્હ નું મહત્વ જણાવ્યું છે અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘર માં આ ચિન્હ બનાવવામાં આવે તો ઘર નું વાસ્તુ હમેશા દૂર રહે છે.
અને ઘર માં શાંતિ બની રહી છે સ્વસ્તિક ચિન્હ નો ઉલ્લેખ આપણે રામાયણ,હરિવંશ પુરાણ,અને મહાભારત જેવા ગ્રન્થ માં પણ મળે છે.
સિંધુ સભ્યતા ને જયારે ખોદવામાં આવી હતી ત્યારે એ સમયે એવા સબૂત મળ્યા હતા કે જે એ દર્શાવે છે કે સ્વસ્તિક ચિન્હ ગણા વર્ષો જૂનું છે. આ ખોદવામાં આવ્યું ત્યારે મુદ્રા અને વાસણ મળ્યા હતા એમાં સ્વસ્તિક નું ચિન્હ ખોદાયેલું હતું
સ્વસ્તિક ચિન્હ ના રંગ.
સ્વસ્તિક ચિન્હ ને ઘણા રંગોથી બનાવી શકાય છે ઘણા લોકો હળદર ના મદદથી પીડા રંગ નું સ્વસ્તિક ચિન્હ બનાવે છે.
તો ઘણા લોકો કુમકુમ ની મદદથી લાલ રંગ નું સ્વસ્તિક ચિન્હ બનાવે છે હળદર અને કુમકમ ઉપરાંત આ ચિન્હ ને ચંદનના ચિન્હથી પણ બનાવી શકાય છે
આમ કુમ કુમ બનાવેલ લાલ રંગ ના સ્વસ્તિક ચિન્હ ને વધારે શુભ માનવામાં આવે છે.
સ્વસ્તિક ચિન્હ નું મહત્ત્વ અને સ્વસ્તિક નો લાભ જાણ્યા પછી તમે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા આ ચિન્હને પોતાના ઘરમાં જરૂર બનાવો સ્વસ્તિક ચિન્હ બનાવવાથી તમારું શુભ કાર્ય સફળ થઈ જશે.
અને આ ચિન્હ ને તમે વેપાર સ્થળ પર પણ બનાવી શકો છો.
વ્યાપર સ્થળ પર સ્વસ્તિક ચિન્હ બનાવવાથી તમારા વ્યાપરમાં વધતી થશે અને તમને કોઇ દિવસ ધન ની કમી નહિ થાય.