શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે રક્ષાબધનનો તહેવાર ફક્ત ભારતમાં જ નહી પણ દુનિયામાં જ્યા પણ ભારતીય લોકો રહે છે તેઓ હર્ષ ઉલ્લાસથી ઉજવે છે.
આ તહેવારનો સંબંધ રક્ષા સાથે પણ છે તેથી જે જાતક પોતાની રક્ષા કરનારો છે તેના પ્રત્યે આભાર અને કૃતજ્ઞતા દર્શાવવા માટે તેને રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. રક્ષા બંધનના દિવસે સવારે સૌ પહેલા બહેનો સ્નાન કરીને ભગવાનની પૂજા કરે છે.
માનવજાતમાં ‘મા’ નો પ્રેમઅને શુશ્રુષા બીજું કોઈ જ દાખવી ન શકે. માતૃપ્રેમ પછી જગતમાં ભગિની પ્રેમનું સ્થાન છે. આ બે સંબંધોની તોલે જગતમાં બીજો કોઈ સબંધ ન આવે. પીતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્નિ વગેરેના પ્રેમમાં માત્ર સ્વાર્થ હોય છે.
જ્યારે માતૃપ્રેમ અને ભગિની પ્રેમ નિ:સ્વાર્થ, નિષ્કલંક અને પવિત્ર હોય છે. એ પ્રેમને કેળવણી, જ્ઞાન, ધન કે બીજી કોઈ વસ્તુ સાથે સંબંધ નથી. શહેરી કે ગામડિયણ, ભણેલી કે અભણ પ્રત્યેક માતા અને બહેનના હૃદય મધ્યે માત્ર બાળક અને ભાઈ માટે નિ:સ્વાર્થ પવિત્ર પ્રેમ જ હોય છે. બહેન પોતાના ભાઈ ને ખુબજ પ્રેમ કરતી હોય છે, અને ભાઈ ની રક્ષા માટે તે રાખડી પોતાના ભાઈના હાથમાં બાંધે છે.
ભાઈ-બહેન નો પ્રેમ ખુબજ સારો અને પવિત્ર હોય છે, ભાઈ-બહેનના પવિત્ર સ્નેહ માટે આપણી ધર્મ-સંસ્કૃત્તિએ બે તહેવારોની પણ ઉજવણી રાખી છે. ભાઈબીજ અને બળેવ. ભાઈબીજને દિવસે ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે અને ભાઈ પોતાની શક્તિ પ્રમાણે બહેનને વીરપસલી ધરે છે. જ્યારે બળેવને દિવસે બહેન ભાઈ ને ત્યાં આવે અને ભાઈને રાખડી બાંધી શુભ અને દિર્ઘાયુ ઈચ્છે છે. ભાઈ યથાશક્તિ હૃદયપૂર્વકની લાગણીથી પોતાની ભેટ ધરે છે. ભાઈ પોતાની બહેન ને ભેટ આપે છે, અને તેને સારા આશિર્વાદ પણ આપે છે.
આ રક્ષા સૂત્ર જાતકના સમસ્ત રોગોને અને અશુભ કાર્યોને નષ્ટ કરી દે છે અને તેને ધારણ કરવાથી મનુષ્ય આખા વર્ષ માટે રક્ષિત થઈ જાય છે. તેથી આ રક્ષા સૂત્રને જરૂર ધારણ કરવુ જોઈએ. ભાઈ અને-બહેન નો પ્રેમ ખુબજ પવિત્ર હોય છે. એટલા માટે જ બહેન ભાઈ ના હાથ માં રાખડી બધે છે. જેથી પોતાના ભાઈ ની રક્ષા થઈ શકે.
બહેન કેવળ ભાઈના સ્નેહની જ ભૂખી હોય છે. એ તો ભાઈ ને ફક્ત એટલું જ કહે છે “ભૈયા મેરી રાખી કે બંધન કો ન ભુલાના” ભારતના ઇતિહાસમાં મુગલ રાજા હુમાયુ અને રજપૂત રાણી કર્ણાવતીના રક્ષાબંધનનો પ્રસંગ ભાઈ-બહેનના હેત માટે જાણીતો છે. કર્ણાવતીએ મુગલ રાજા હુમાયુને રાખડી મોકલી પોતાનો ધર્મનો ભાઈ બનાવ્યો અને એ રાજા ધર્મ, જાતિ અને દેશના ભેદ ભૂલીને બહેનની મદદે દોડી ગયો હતો. એટલા માટે તો ભાઈ-બહેન નો પ્રેમ પ્રવિત્ર માનવામાં આવે છે. બહેન ભાઈ ની રક્ષા માટે હાથ માં રાખડી બાધે છે.
આપણા અર્વાચીન કવિઓ-મેઘાણી, ન્હાનાલાલ અને બોટાદકરે અને પ્રત્યેક સાહિત્યકારોએ ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમ માટે ઘણું ઘણું લખ્યું છે. લોક સાહિત્યમાં ભાઈ-બહેનના હેત માટે હૃદયને સ્પર્શી જાય એવાં ઘણાં ગીતો પણ મળી આવે છે.
બેનડીના મુખમાંથી નીકળતા શબ્દો, ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ’ સાંભળી ક્યા ભાઈનું હૃદય નહિ સમાતું હોય? બહેનના આશિષ માટે એનો વીરો આપી આપીને પણ શું આપવાનો? વિશ્વની કોઈપણ અમુલ્ય ભેટ પણ બહેનના પવિત્ર સ્નેહ પાસે તુચ્છ જ ગણાય.
આ અલૌકિક, નિ:સ્વાર્થ અને હૃદયના તાંતણે બંધાયેલા હર્યાભર્યા ભાઈ-બહેનના હેતના વર્ણન માટે તો જગતના મહા કવિઓ કલમ ચલાવે તોય એમાં અપૂર્ણતા જ રહેશે. વિશ્વના પ્રત્યેક ભાઈ માટે આ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર જીંદગીના નિ:સ્વાર્થ પવિત્ર પ્રેમનું અવિરત ઝરણું અને સંભારણું બની રહે છે.
ભવિષ્ય પુરાણ મુજબ રક્ષાબંધન નો તહેવાર વિધિપૂર્વક ઉજવવાથી બહેનો અને ભઈઓને કોઈપણ વસ્તુની કમી નથી રહેતી અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. એટલા માટે રક્ષાબંધન તહેવાર ભારત દેશ માં ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવે છે. અને ભાઈ-બહેન નો પ્રેમ પણ રક્ષાબંધનના દિવસે પવિત્ર થઈ જાય છે.
રક્ષાબંધનના દિવસે શ્રવણ નક્ષત્રના સમયે મહિલાઓ પરંપરા મુજબ ઘરના બહાર કે દ્વાર પર ગોબર કે લાલ રંગથી શ્રવણ કુમારની આકૃતિ બનાવી પૂજા કરી તેના પર રક્ષાસૂત્ર અર્પિત કરવું. સુખ સમૃદ્ધિ માટે આ પૂજા કરાય છે.