સ્થૂળતા અને વધારે પડતા વજનનું મૂળભૂત કારણ કેલરી વપરાશ અને કેલરી વિસ્તરણ વચ્ચે ઊર્જાની અસમતુલા જવાબદાર છે. સ્થૂળતાની સમસ્યા આજકાલ લગભગ દરેક ત્રીજા વ્યક્તિને છે. સ્થૂળતા ફક્ત તમારો લૂક બગાડતી નથી, પરંતુ ઘણી બધી બીમારીઓને પણ આમંત્રણ આપે છે. એક અધ્યયન અનુસાર જાડા લોકોમાં હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓ થવાની સંભાવના વધારે હોય છે.વૈશ્વિક સ્તરે ઊર્જાયુક્ત ભોજન લેવામાં આવે છે, તેમાં ચરબીનું ઊંચુ પ્રમાણ હોય છે તેમ જ શારીરિક રીતે ઓછી પ્રવૃત્તિ કરવામાં આવે છે, જે ખાસ કરીને કેટલાક સ્વરૂપના ગતિહીન પ્રકારના, પરિવહનની બદલાતી પદ્ધતિ અને સતત વધતા શહેરીકરણને લીધે આ સ્થિતિ સર્જાય છે.
આહાર તથા શારીરિક પ્રવૃત્તિની પદ્ધતિમાં ફેરફારો પર્યાવરણીય અને સામાજિક ફેરફારોને પરિણામે થતા હોય છે. સ્થૂળતા એક એવો રોગ છે કે જેને નિવારી શકાય તેમ છે, અલબત વર્ષ 1975થી તેમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. ભારતમાં સ્થૂળતા 21મી સદીમાં રોગચાળાના સ્વરૂપમાં પહોંચી ગયો છે, દેશની કુલ વસ્તીના આશરે 5 ટકા લોકો બિનઆરોગ્યપ્રદ સ્થૂળતાની સ્થિતિ ધરાવે છે. ઇન્ડિયા ટુડે દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે આશરે 108 મિલિયન બાળકો અને 600 મિલિયન કરતાં વધારે પુખ્યો સ્થૂળતાનું આંકલન એવા 30 થી ઉપર બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) ધરાવે છે.
વૈશ્વિકસ્તરે આશરે બે બિલિયન જેટલા બાળકો અને પુખ્તો વધારે પડતા વજન અથવા સ્થૂળતાને લગતી આરોગ્ય સંબંધિત સમસ્યાઓવો સામનો કરે છે, અને આ રોગ્યની આ સ્થિતિને લીધે મૃત્યું પામી રહેલા લોકોની ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમ સંશોધકોએ જણાવ્યું હતું. સ્થૂળતામાં ખાસ કરીને તમારા પેટની ચરબી ઓછી કરવા માટે ધ્યાન આપવું જોઈએ. સ્થૂળતા ઓછી કરવા માટે લોકો ઘણા પ્રકારની કોશિશ કરતા હોય છે. તેમાં અમુક ઉપાયો સરળ હોય છે, તો અમુક ઉપાય ખૂબ જ કઠિન હોય છે. આજે અમે તમને ઘર પર કરી શકાય તેવો એક સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે શરીરની ચરબીને ઓછી કરી શકશો.
નિયમિત રીતે લવિંગ ચાવવાથી મેદસ્વિતા ઘટાડી શકાય છે. લવિંગ વિટામિન-સી, ફાયબર, મેગેંનીઝ, એન્ટિ-ઓક્સિડન્ટ અને વિટામિન-કેથી ભરપૂર હોય છે. ભોજનમાં પણ લવિંગનો સમાવેશ કરવાથી ઘણો ફાયદો થાયછે. લવિંગમાં એન્ટિ-ઓક્સિડન્ટ હોય છે તે તણાવને ઓછો કરીને બળતરા અને સોજાન ઘટાડવામાં પણ ઉપકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લવિંગ ગુણકારી હોવાનું સંશોધકોએ જણાવ્યું છે અમેરિકાની એક યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં આ તારણ નીકળ્યું છે. સંશોધકોએ વધારે વજનની સમસ્યાથી પીડાતા કેટલાક લોકોને નિયમિત રીતે લવિંગ ખાવા આપ્યા હતા. અને થોડાક સમય બાદ તેમણે નોંધ્યું હતું કે જે લોકોએ લવિંગ ખાધા હતા તેમના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સંશોધકોએ આવા લોકોને નિયમિત રીતે લવિંગ ખાવાની સલાહ આપી છે.
મેદસ્વિતાથી પીડિત લોકોને પ્રતિ-દિનના ધોરણે કેટલાક લવિંગ આપવામાં આવ્યાં હતાં. તેમનાં લોહીમાં પણ સુધારો જોવા મળ્યો હતો. લવિંગ ઘટાડશે સ્થૂળતા. લગભગ દરેક ભારતીય રસોડામાં લવિંગ સરળતાથી મળી જાય છે. ભારતીય વ્યંજનોમાં લવિંગનો ઉપયોગ વધારે જોવા મળે છે. તે ખુશ્બુદાર મસાલો ફક્ત સ્વાદ જ નથી વધારતો, પરંતુ તમારું વજન પણ ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે લવિંગને એક ખાસ રીતે ખાવામાં આવે તો તમારા શરીરમાં રહેલી ચરબી ઓછી કરીને તમને પાતળા બનાવવામાં મદદ કરે છે. આવી રીતે કરે છે કામ. લવિંગ ની અંદર પ્રોટીન, આયરન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ મોટી માત્રામાં મળી આવે છે. તે સિવાય તેમાં એન્ટિકોલેસ્ટેરિક અને એન્ટી-લિપિડ ગુણ પણ હોય છે.
તે તમારા શરીરના મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જ્યારે તમારા શરીરમાં મેટાબોલિઝમ વધે છે, તો સ્થૂળતા ઓછી થવા લાગે છે. આ બીમારીમાં પણ કારગર છે લવિંગ. સ્થૂળતા ઘટાડવા સિવાય લવિંગ શરીરની ઘણી બીમારીઓને દૂર કરે છે. તેમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ શરીરના ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછું કરે છે જ્યારે તમારો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો થાય છે, તો જૂની બીમારીઓ પણ ખતમ થવા લાગે છે .તે સિવાય લવિંગ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ સહાયતા કરે છે.આવી રીતે બનાવવુ ચરબી ઘટાડવાની ડ્રિંક લવિંગને જ્યારે શક્તિશાળી મસાલા જેવા કે તીખા, તજ અને જીરાની સાથે મિક્સ કરીને સેવન કરવામાં આવે તો તે શરીરના મેટાબોલીક રેટને ઝડપથી વધારે છે. તેનાથી તમારા શરીરમાં રહેલ ચરબી ઝડપથી ઘટવા લાગે છે.
એટલા માટે આ વેઇટ લોસ ડ્રિંક બનાવવા માટે આપણી આ સામગ્રીઓનો ઉપયોગ કરીશું.સામગ્રી : 50 ગ્રામ લવિંગ, 50 ગ્રામ તજ, 50 ગ્રામ જીરૂં રેસીપી. આ ડ્રિંકને બનાવવા માટે તમારે બધી સામગ્રીઓને એક પેનમાં નાખીને શેકી લેવાની છે. તેને ત્યાં સુધી શેકવાની છે, જ્યાં સુધી તમને તેની સુગંધ ના આવવા લાગે. ત્યારબાદ આ બધાને મિક્સરમાં પીસીને એક બારીક પાઉડર બનાવી લો. હવે તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો. સેવન કરવાની રીત. એક તપેલીમાં ગેસ પર પાણી ઉકળવા માટે રાખો. હવે તેમાં ઉપર બનાવવામાં આવેલ મિશ્રણની એક ચમચી નાખી દો. પાણી ઉકળી જાય તો ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. હવે તેમાં એક ચમચી મધ ઉમેરી દો. હવે તમારી ચરબી ઘટાડવા માટેની ડ્રિંક તૈયાર થઈ ગઈ છે. તેને દરરોજ સવારે ખાલી પેટે સેવન કરો.
ધ્યાન રહે કે ફક્ત આ ઉપાય કરવાથી તમારા શરીરમાં રહેલી ચરબી ઓછી થશે નહીં. તેની સાથે તમારે હેલ્ધી ડાયટનું સેવન અને નિયમિત વ્યાયામ જેવા કામ પણ કરવા પડશે. લવિંગ ના એ પણ ફાયદા ઓ જ છે કે તે આને લીધે તો, તમે ચેહરા પર ડાગ અને ધબ્બા હોઈ તો તમારે લવિંગ નો ફેસ પેક લગાવવો ખુબ ઉત્તમ રહે છે, વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે આ લવિંગ નોફેસ પેક ચેહરા પર લગાવવા થી ડાગ અને ધબ્બા ને ઓછા કરી નાખે છે, વધુ માં લવિંગ નો ફેસ પેક બનાવવા માટે લવિંગ ના પાવડર માં તમારે તે મુલતાની મટ્ટી અને ગુલાબ જળ નાખી ને સારી રીતે તેને બનાવી ને તે ચેહરા પર જ્યા જયા ચેહરા પર ડાગ અને ધબ્બા હોઈ ત્યાં ત્યાં તેને લગાવી દો, ડાગ અને ધબ્બા થઈ જશે દુર.