વિધવા સ્ત્રીને માત્ર સફેદ કપડાં કેમ પહેરવા પડે છે જાણો મોટું કારણ તે બધા જાણે છે કે આપણા સમાજની બધી વિધવા મહિલાઓ માત્ર સફેદ કપડાં પહેરે છે. જો કે વિધવા મહિલાઓ માત્ર સફેદ કપડા પહેરતી હોવાના નક્કર કારણો કોઈને ખબર નથી. પરંતુ આપણા શાસ્ત્રોમાં કેટલાક કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે જાણ્યા પછી, તમે સમજી શકશો કે વિધવા મહિલાઓએ સફેદ કપડા પહેરવાનો રિવાજ કેમ છે.
સૌ પ્રથમ, આપણે જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર, એવું કહેવામાં આવે છે કે વિધવા સ્ત્રી ફરીથી લગ્ન કરી શકતી નથી, તેથી તેમના માટે શાસ્ત્રોમાં કેટલાક વિશેષ નિયમો લખ્યા છે હા શાસ્ત્રો અનુસાર પતિને ભગવાન માનવામાં આવે છે અને જ્યારે ભગવાન જીવનમાંથી ખસી જાય છે ત્યારે સ્ત્રીને પણ સંસારના દરેક ભ્રમનો ભોગ આપીને સરળ જીવન જીવવું પડે છે. આ સમય દરમિયાન સ્ત્રીને ફક્ત ભગવાનને પોતાનું મન મૂકવાની મંજૂરી છે.
વિધવા મહિલાઓને બીજી બાજુ ધ્યાન ભંગ ન કરવું જોઈએ, તેથી તેમને સફેદ કપડાં પહેરવાનું કહેવામાં આવે છે. આ કારણ છે કે રંગીન કપડાં અમને શારીરિક સુવિધાઓની યાદ અપાવે છે. આ જ કારણ છે કે તેમને ફક્ત સફેદ કપડા પહેરવા પડે છે. જો આપણે ભોજનની વાત કરીએ તો આજે પણ આપણા સમાજમાં વિધવા મહિલાઓએ ફક્ત સાત્વિક ખોરાક જ ખાવું છે. હા, તે ઈચ્છે તે પહેરી અને ખાઈ શકતી નથી. હકીકતમાં, વિધવા સ્ત્રીઓને તળેલા અને શેકેલા, માંસ અને માછલી વગેરે બધું ખાવાની મનાઈ છે, કારણ કે આવા ખોરાક કાર્યકારી ભાવનામાં વધારો કરે છે.
દેશમાં આજે પણ એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં વિધવા મહિલાઓના વાળ કાપવામાં આવે છે, કારણ કે એવું કહેવામાં આવે છે કે વાળ સ્ત્રીનો અસલ મેકઅપ છે અને આ તેની સુંદરતાને વધારે છે. આવી સ્થિતિમાં, બીજા કોઈ માણસે તેની સુંદરતા તરફ ધ્યાન આપવું જોઈએ નહીં, તેથી વિધવાના વાળ કાપવામાં આવે છે અને આ રીતે તેનું આખું જીવન કોઈ રંગ વિના બહાર જાય છે. આવી સ્થિતિમાં, આ મહિલાઓના જીવનમાં ઉદાસી સિવાય કંઈ જ બચ્યું નથી, પરંતુ તે આપણા સમાજને વાંધો નથી.
આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો સ્ત્રી વિધવા બની જાય છે, તો પછી તેણીએ તેનું જીવન કેવી રીતે જીવવું જોઈએ, પરંતુ કદાચ આપણા શાસ્ત્રોમાં એમ કહેવું ભૂલી ગયું છે કે જો તેની પત્ની મરી જાય તો પુરુષનું જીવન શું હોવું જોઈએ. હા, જ્યાં આપણા સમાજની વિધવા મહિલાઓએ પણ શ્વાસ લેવાનું પૂછ્યું છે, પુરુષોના બીજા લગ્ન માટે પણ આ જ ખુલ્લેઆમ કરવામાં આવે છે, શું આપણાં શાસ્ત્ર આને મંજૂરી આપે છે? શું તમને લાગે છે કે આ ડબલ નિયમ સાચો છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે જે સ્ત્રીના પતિ મૃત્યુ પામે છે તેને તેના -આહાર અને ડ્રેસિંગ બદલવા જ પડશે. શાસ્ત્ર કહે છે કે તે સ્ત્રીઓએ માંસ-માછલી, ડુંગળી અને લસણ મૂકી દેવા જોઈએ -શાસ્ત્રોમાં વિધવા માટે મસૂર, સલજમ, મૂળો અને ગાજરનો સેવન પણ પ્રતિબંધિત કરવામાં આવે છે. તેઓ માટે રંગબેરંગી વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ હોય છે .આ કારણોસર થોડા વર્ષો પહેલા વિધવા થયાં પછી મહિલા માત્ર સફેદ કપડા પહેરતી હતી.
જો કે સામાજિક ધોરણોમાં થોડો ઘણો ફેરફારો આવ્યા છે અને વિધવા સ્ત્રીઓ હવે રંગબેરંગી વસ્ત્રો પહેરવા શરૂઆત કરી છે.પરંતુ શાસ્ત્રોમાં જે નિયમો વિધવા માટે બનાવ્યા છે, તે આમ જ નથી બનાવાયા તેની પાછળ તેના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક આધાર આપવામાં આવ્યા છે . ધાર્મિક અભ્યાસ શાસ્ત્રી જાણકાર કહે છે કે ,શાસ્ત્રોમાં મહિલાઓ માટે પતિના મૃત્યુના નવમા દિવસે સફેદ કપડા પહેરવાનો નિયમ હોય છે.આધ્યાત્મિક કારણ છે કે આ સફેદ વસ્ત્રો સાત્વિકતાનું પ્રતીક છે.
સફેદ વસ્ત્રોથી વિધવા સ્ત્રીને આ બોધ અપાય છે કે કુદરતે તમારા જીવનના તમામ રંગો લઈ લીધા છે . જેમ સફેદ વસ્ત્રોમાં કોઈ રાગ ના હોય તેમજ તમે પણ રાગ દ્વેષથી મુક્ત થઈ ઈશ્વરનો ધ્યાન કરી તમારો જીવન પસાર કરો. સફેદ વસ્ત્ર આધ્યાત્મિક બળ પણ આપે છે. જે વિધવા સ્ત્રીના જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત આપે છે. પણ હવે સામાજિક ધોરણો બદલાઈ ગયા છે. શાસ્ત્રના આ નિયમનું પાલન હવે ઓછું થઈ ગયું છે. આનું કારણ છે કે તે સમયે બીજા લગ્નની માન્યતા ન હતી.હવે મહિલા ફરીથી લગ્ન કરી પોતાનું જીવન સુહાગનની જેમ વિતાવી શકે છે.
જ્યાં સુધી વિધવાને માંસ, માછલી અને લસણની પ્રતિબંધ છે તો આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે તેના ઉપયોગથી શારીરિક ગરમી અને કામેચ્છા વધે છે. પતિના મૃત્યુ પછી કામ-વાસના પર નિયંત્રિત કરવા માટે વિધવાને લસણ ડુંગળી જેવી ઉષ્મતાવાળી વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.ત્યાગની વ્યાખ્યાને જો ઝીણવટથી કોઈ સમજી શક્યું છે તો તે છે એક સ્ત્રી. તે દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન રહેતી હોય, કોઈ પણ ધર્મ અથવા સંપ્રદાયને કેમ ન માનતી હોય, પરંતુ ત્યાગનો ધર્મ તેને બાળપણથી જ શીખવવામાં આવે છે. કદાચ તેના લોહીના એક-એક કણમાં ત્યાગનું નામ વસી ચૂક્યું છે, ત્યારે જ તો જન્મથી લઈને મરણ સુધી દરેક પળ પોતાની ખુશીઓ તથા ઈચ્છાઓનો ત્યાગ કરતા શીખી છે સ્ત્રીઓ.
માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના કોઈ પણ ખૂણામાં નજર ફેરવીને જોશો તો તમને એવા કેટલાય રીતિ-રિવાજો મળી જશે જેમાં ત્યાગની જવાબદારીઓ એક સ્ત્રીએ ઉપાડી રાખી છે. કેટલીય વખત તો આ ત્યાગનો પ્રભાવ એટલો ઊંડો હોય છે કે તે સ્ત્રીને એવું પૂછવાનો પણ મોકો નથી મળતો કે આવું તેની સાથે શા માટે થઈ રહ્યું છે.રિવાજોમાં બંધાયેલી મહિલાઓ.
સંસ્કૃતિઓ તથા રિવાજોમાં બંધાયેલી આ મહિલાઓ માત્ર ત્યાગ કરતા શીખે છે. પતિના મૃત્યુ પછી સ્વયંનો ત્યાગ કરવો પણ એક એવું જ તથ્ય છે જે મહિલાઓ માટે શાપ બની ગયો છે. વર્ષો પહેલા હિન્દુ ઇતિહાસએ સતી પ્રથા જેવી ઘટનાઓને પોતાની પુસ્તકોના પાનામાં જગ્યા આપી હતી. આ એક એવી ક્રૂર પ્રથા છે જેની કલ્પના પણ કોઈ સ્ત્રી નથી કરવા ઈચ્છતી. પૌરાણિક માન્યતાઓ મુજબ ભગવાન શિવ સાથે જોડાયેલી છે આ પ્રથા. મહાભારતના રાજા પાંડુની પત્ની માદ્રીએ પણ તેમની સાથે સતી થવાનું નક્કી કર્યું હતું.
કદાચ આવી જ અમુક ઘટનાઓ હતી જેણે સતી પ્રથાને ભારતીય સિદ્ધાંતોમાં જગ્યા આપી, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે ધીમે-ધીમે આ પ્રથા ખતમ થઈ ગઈ. જોકે આજની વિધવા મહિલાઓને પણ અમુક એવા નિયમ-કાયદાનું પાલન કરવું પડે છે જે તેના માટે પગમાં પડેલી સાંકળ જેવી છે. માત્ર પતિની મૃત્યુનો ગમ જ તેના માટે ઘણો નથી હોતો તેના પછી એકલતા અન્ય રૂઢિચુસ્ત રિવાજોમાં બંધાયને તે પળ-પળ મરતી હોય છે. અને આ જ ગૂંગાળામણમાં તે વિચારે છે કે તેના કરતા તો સારું હોત તે તેના પતિ સાથે જ સતી થઈ ગઈ હોત.
માન્યતાઓનો ભાર એક વિધવા માટે હિન્દુ માન્યતાઓમાં ખાસ નિયમ બનાવવામાં આવ્યાં છે. તેને દુનિયાભરના રંગોનો ત્યાગ કરી સફેદ સાડી પહેરવી પડે છે, તે કોઈ પણ પ્રકારના આભૂષણ તથા શ્રૃંગાર નથી કરી શકતી. આટલું જ નહીં જે લોકો ચુસ્તપણે આ નિયમોનું પાલન કરે છે તે વિધવાઓ તો સાંજના સૂરજ ઢળ્યાં પછી અનાજનો એક દાણો પણ નથી લેતી.ઈચ્છા મુજબ કામ નથી કરી શકતી તેનો એવો જ અર્થ થયો કે તે પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ કાર્ય નથી કરી શકતી. તેણે છેલ્લા શ્વાસ સુધી ભગવાનને યાદ કરીને પોતાનું બાકીનું જીવન વીતાવવા માટે મજબૂર કરવામાં આવે છે.
પતિની મૃત્યુ પછી તમે વિચારી રહ્યા હશો કે આજના આધુનિક યુગમાં આ બધુ ક્યા હોય છે. આજકાલ તો પતિની મૃત્યુના થોડા સમય પછી જ મહિલાઓ બીજા લગ્ન કરીને પોતાનું આગળનું જીવન સુખપૂર્વક ચલાવવાની કોશિશ કરે છે. પરંતુ વાસ્તવમાં આજે પણ દેશના કેટલાય ભાગમાં એક વિધવાને ભારણ માનીને ઘરના એક ખૂણામાં ફેંકી દેવામાં આવે છે.વ્યર્થ જીવન પતિની મૃત્યુ પછી તેનું જીવન વ્યર્થ છે આવું તેને વારંવાર મહેસુસ કરાવવામાં આવે છે. પણ શા માટે? એક વિધવાથી તેનો અધિકાર, તેના રંગ તથા શ્રૃંગાર છીનવી લેવાનો શું અર્થ છે? શું આપણાં શાસ્ત્રો આપણને આવી કોઈ વાતની સલાહ આપે છે વેદોમાં નથી વર્ણન તમને જાણીને આશ્ચર્ય થશે કે વેદોમાં એક વિધવાને બધા જ અધિકાર આપવા તથા બીજા લગ્ન કરવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. વેદોમાં એક કથન શામેલ છે उदीर्ष्व नार्यभि जीवलोकं गतासुमेतमुप शेष एहि। हस्तग्राभस्य दिधिषोस्तवेदं पत्युर्जनित्वमभि सम्बभूथ।.
આ શ્લોકનો અર્થ છે કે પતિની મૃત્યુ પછી તેની વિધવા તેની યાદમાં પોતાનું આખું જીવન વીતાવી દે એવું કોઈ ધર્મ નથી કહેતું. તે સ્ત્રીને પૂરો અધિકાર છે કે તે આગળ વધીને કોઈ અન્ય પુરૂષ સાથે લગ્ન કરી પોતાનું જીવન સફળ બનાવે.સામાજિક ધારણાઓ આપણો સમાજ આ વાતને નથી માનતો. સામાજિક નિયમ મુજબ પતિની મૃત્યુ પછી તેની વિધવા રંગીન વસ્ત્ર નથી પહેરી શકતી, કોઈ શ્રૃંગાર નથી કરી શકતી, કોઈ પ્રકારના આભૂષણ ધારણ નથી કરી શકતી અને તે એ બધા નિયમો સાથે બંધાય જાય છે જે તેને વિધવા ધર્મ શીખવાડે છે.
સામાન્ય જીવન પતિના જીવિત હોવા પર જે રીતે તે સ્વયંને સુંદર બનાવીને રાખતી હતી, તેના ગયા પછી તેને તેના કરતા પણ વધુ પોતાને કદરૂપી બનાવીને રાખવા માટે કહેવામાં આવે છે. કેટલાક સંસ્કારોમાં તો એક વિધવાનું મુંડન પણ કરવામાં આવે છે. આવું કરવા પાછળ કેટલાય સામાજિક તથા વૈજ્ઞાનિક કારણ આપવામાં આવ્યાં છે. કહેવાય છે કે એક વ્યક્તિ જેટલી સામાન્ય હોય, ઓછું આકર્ષક હોય એટલું જ લોકો તેની ઉપર ઓછું ધ્યાન આપશે. અને એક વિધવાને બધાની નજરોથી ખાસ કરીને પરપુરૂષની નજરથી બચાવીને રાખવાની સલાહ આપવામાં આવે છે.
રક્ષા કરનાર કોઈ નથી પતિની મૃત્યુ પછી આ સમાજમાં તેની રક્ષા કરનાર કોઈ નથી. ઓછામાં ઓછું ત્યાં સુધી જ્યાં સુધી તે બીજા લગ્ન નથી કરી લેતી. એટલે તેણે સફેદ સાડી તથા કોઈ શ્રૃંગાર વિના રહેવાની સલાહ આપવામાં આવે છે.શ્રૃંગાર નથી કરી શકતી એક નારીનો શ્રૃંગાર તેને ચંચળ બનાવે છે. આ તેની સુંદરતા જ તો છે જેના લીધે એક પુરૂષ તેની તરફ આકર્ષિત થાય છે. પરંતુ એક વિધવાને લોકોની ખરાબ નજરથી બચીને રહેવાનું હોય છે. આ કદાચ આપણાં સમાજની માનસિકતા જ છે કે જો કોઈ સ્ત્રી રંગીન કપડાં પહેરીને ઊભી હોય તો તેને વધુ લોકો જુએ છે.
રંગો સાથે સંબંધો તોડી દેવા આ વાસ્તવિકતા છે કે આપણાં દ્વારા પહેરવામાં આવતા વસ્ત્રોના રંગ આપણાં ચરિત્ર પર એક ઊંડી અસર કરે છે. લાલ રંગ આપણને ભડકીલો બનાવે છે તો બ્લૂ હકારાત્મક દૃષ્ટિ પ્રદાન કરે છે. લીલો રંગ માનસિક સંતુલન દે છે તો સફેદ શાંતિનો પ્રતીક માનવામાં આવે છે.સફેદ રંગ પહેરવાની સલાહ કદાચ આ જ કારણ છે કે એક વિધવાને સફેદ રંગ પહેરવાની સલાહ આપવામાં આવે છે, જેથી તે દુખના આ સમયમાં સ્વયંને શાંત રાખવાનો પ્રયાસ કરી શકે. સાથે જ આ શાંત વ્યવહારથી તે વિધવા પ્રભુમાં પોતાનું ધ્યાન પણ સરળતાથી લગાવી શકે છે.
ખાનપાનમાં ફેરબદલ કપડા સિવાય એક વિધવાના ખાનપાનની રીતમાં પણ મોટા ફેરબદલ કરવામાં આવે છે. શાસ્ત્રોની માનીએ તો એક વિધવા સ્ત્રીએ લસણ-ડુંગળી વગરનું ભોજન કરવું જોઈએ અને સાથે જ તેણે મૂળા, મસૂરની દાળ તથા ગાજર ખાવાનું ટાળવું જોઈએ. માત્ર આટલું જ નહીં તેમના માટે ભોજનમાં માંસાહાર પીરસવું અપમાન તથા પાપ માનવામાં આવે છે. તેમનું ભોજન સંપૂર્ણપણે સાત્વિક હોવું જોઈએ અને સાંજના સૂરજ ઢળ્યા પછી તે પાણી સિવાય કંઈ ગ્રહણ નથી કરી શકતી.ક્યારે આવશે બદલાવ આ કઠિન નિયમ આજે દેશના બધા જ તો નહીં પરંતુ કેટલાક ભાગમાં વિધવા માટે એક શાપની જેમ કાયમ છે. જેનાથી તેઓ બહાર નીકળવા માંગે છે અને પોતાના જીવવાના હેતુને શોધવા માંગે છે. પરંતુ શાસ્ત્રો તથા ધર્મના નામ પર આ સમાજ એક વિધવાને આઝાદીની ઉડાન કદાચ જ ક્યારેય ભરવા દે.