ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર. આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે.મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે.કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.
એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે. આજે આપણી કપરા ખાતે બિરાજમાન મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છે મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે.
માતા મોગલને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા ભક્તએ શું કરવું તે વિશે મણીધર બાપુએ જણાવ્યું હતું. મણીધર બાપુએ કહ્યું હતું કે માતાને સાચા દિલથી યાદ કરવાથી માતા પ્રસન્ન થાય છે.માતાને પ્રસન્ન કરવા માટે કોઈ વ્રત, ઉપવાસ કરવાની જરૂર નથી.
માતા મોગલને ભક્તો ઘરે બેઠા ભક્તિ કરીને પણ પ્રસન્ન કરી શકે છે. આ ઉપાય કરવા માટે માતાજીનો ફોટો ઘરમાં રાખી તેની સામે દિવસો કરવો. સાથે કુળદેવીની પણ પૂજા કરવી.
માતા સમક્ષ ગૂગળનો ધૂપ કરવો. ગરીબને કપડાનું દાન કરવું.મંગળવારના દિવસે ગરીબ બાળકોને ઘરે બોલાવી જમાડવા. તેનાથી માતાજી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે.કબરાઉ ધામ ખાતે મણીધર બાપુ પણ બિરાજે છે.
માતા મોગલના દર્શન કરી ભક્તો મણીધર બાપુને પણ મળતા હોય છે. મણીધર બાપુ ઘણીવાર ભક્તોને માતાની પૂજા અર્ચના કરવા વિશે પણ જણાવતા હોય છે. તાજેતરમાં જ એક દિવસ મણીધર બાપુએ આવી જ એક વાત જણાવી છે.
મા મોગલ અનેક લોકોના દુઃખો દૂર કરી તેમને જીવનમાં સુખની પ્રાપ્તિ આપી છે અને આજે દરેક લોકો ખૂબ જ સુખેથી અને શાંતિથી જીવન જીવી રહ્યા છે.પરંતુ મણીધર બાપુએ ખાસ વાત જણાવતા કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિએ ઉપવાસ કરવાની કે ભૂખ્યા રહેવાની જરૂર નથી.
પરંતુ માતાને ખુશ કરવા માટે તમારે ગરીબને કપડાં કે ભોજન આપી પ્રેમથી તને જ મળવાનું આપજો મંગળવારના દિવસે ગરીબ બાળકોને પ્રેમથી જમાડી ને તેની ભૂખ દૂર કરજો માતાના આશીર્વાદ તમારા જોડે જ રહેશે આ કરવાથી માતા તમારા ઉપર સદાય ખુશ રહેશે.
મણીધર બાપુએ જણાવ્યું છે કે, માં મોગલ તો હંમેશાં જ લોકો પર દયાવાન રહે છે તેઓને પ્રસન્ન કરવા માટે કંઈ એવું ખાસ કરવાની જરૂર નથી. જો તમારે ખરેખર મા મોગલ ને પ્રસન્ન કરવા હોય તો તમારા કુળદેવી આગળ દીવો કરો અને તેમને યાદ કરો એમાં જ મા મોગલ ખુશ છે.
તમને જણાવી દઈએ કે, મા મોગલને ગુગળનો ધૂપ ખૂબ જ પસંદ છે. તો બને ત્યાં સુધી ગાયનું ઘી નાખીને ગુગળ નો ધૂપ કરો.મણીધર બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, માં મોગલ તો અઢારે વરણની મા છે.
તેઓ બધા જ લોકોના દુઃખ દૂર કરે છે. તમે તેમના પ્રત્યે જેટલી આસ્થા દાખવો છો એટલી જ મોગલ મા તમારા સાથે છે. માં મોગલ ના દરબારમાં તમામ લોકો આવે છે. કોઈ પણ ભેદભાવ વગર તેઓ તમામના દુઃખો હરી લે છે.
આમાં તમે મા મોગલ નો દીવો ના કરો તો પણ ચાલશે. પરંતુ મા મોગલ પ્રત્યે વિશ્વાસ રાખવો.તમારા કુળદેવી આગળ દીવો કરવાથી કુળદેવી તો ખુશ થશે જ અને સાથે સાથે મા મોગલ પણ પ્રસન્ન થશે.