લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

પોતના દીકરાને સારી નોકરી મળે તે માટે આ વ્યક્તિએ માં મોગલ ની 51 રૂપિયાની માનતા રાખી હતી, જ્યારે માનતા પૂરી કરવા ગયા ત્યારે….

Posted by

આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે. પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.

બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે. માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.

દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે. આવા જ માં મોગલના પરચા વિશે વાત કરીએ તો થોડા સમય પહેલા એક વ્યક્તિ પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો, તેણે એવી માનતા માની હતી કે તેના દીકરાને સારી નોકરી મળી જશે તો તે 51 રૂપિયા મા મોગલના ચરણોમાં અર્પણ કરશે.

માનતા રાખ્યાના થોડાક જ દિવસોમાં દીકરાને સારી નોકરી મળી ગઈ એટલે તેઓ માં મોગલ ના દર્શન કરવા માટે અને તેમની માનતા પૂરી કરવા માટે મોગલધામ આવ્યા હતા ત્યારે તે વ્યક્તિએ માનતા ના 51 રૂપિયા મણીધર બાપુને આપ્યા અને બાપુને કહ્યું કે બાપુ મારી માનતા પૂરી થઈ ગઈ અને હું મારી માનતા પૂરી કરવા માટે આવ્યો છું.

વધુ માં કહ્યું કે માં મોગલની કૃપાથી મારા દીકરાને નોકરી લાગી છે. મારી ખાલી આ એકજ માનતા હતી ત્યારે બાપુએ 51 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને કહ્યું કે આ પૈસા તારી બેનને આપી દે જે માં મોગલ તારી બધી જ મનોકામના પૂરી કરશે. માં મોગલ ભાવની ભૂખી છે પૈસાની નહીં. માં મોગલ પર વિશ્વાસ રાખજો માં તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. માતા મોગલના પરચા અપરંપાર છે.

ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના દુખડા હણી લે છે. આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે. માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે. કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે.

આવોજ એક પરચો જેમાં થોડા સમય પહેલાં મોગલ ના ધામમાં એક સાબરકાંઠાની મહિલા આવી હતી. આ મહિલા ને માતા બનવાનું સુખ આજ સુધી પ્રાપ્ત થયું ન હતું અને તેને અનેક વાર સારા ડોક્ટરોને બતાવ્યું હતું અને પાણીની જેમ પૈસા વાપર્યા હતા પરંતુ તેને યોગ્ય નિદાન ન મળતા તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી પરંતુ તેના મીત્ર દ્વારા તેને માં મોગલ ની માનતા રાખવાનું જણાવ્યું હતું.ત્યારે આ મહિલાએ મા મોગલ ની માનતા રાખી હતી.

થોડા સમય બાદ તેના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો આ વાતે ખુશ થઈને તેને યથાશક્તિ પ્રમાણે માં મોગલ ના મંદિરે આવીને પૈસા ચડાવ્યા હતા અને મણીધર બાપુ આ પૈસામાં 20 રૂપિયા ઉમેરીને પૈસા મહિલા ને પાછા આપ્યા હતા અને જણાવ્યું હતું કે માં મોગલ ઉપર સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખજો માં મોગલ તમને કોઈ દિવસ દુઃખી નહીં થવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *