લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

માં મોગલના આશીર્વાદથી આ યુવકની માનતા પૂરી થતાં આ યુવક 5100 રૂપિયા લઇને માં મોગલ ના દર્શન કરવા આવ્યો ત્યારે મણીધર બાપુએ આપ્યો આવો ઉપદેશ…

Posted by

આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે. પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.

બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે. માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.

માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે.થોડા સમય પહેલા એક યુવક તેની માનતા પૂરી કરવા માટે 5100 રૂપિયા લઇને કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવ્યો હતો.ત્યારે મણિધર બાપુએ તેને આશીર્વાદ આપતા પૂછ્યું બેટા તેં શેની માનતા હતી ત્યારે યુવકે કહ્યું કે પારિવારિક ને લઈને માનતા માની હતી જે પૂરી થતાની સાથે જ હું માં મોગલના ચરણોમાં 5100 રૂપિયા ચઢાવવા માટે આવ્યો છું.

મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને એકાવન સો રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તેને પરત આપ્યા. અને ત્યારે કહ્યું કે તમે માં મોગલ પર જ વિશ્વાસ રાખ્યો હતો તેના જ કારણે તમારી માનતા પૂરી થઈ છે. વધુમાં મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ ને દાન-ભેટની કોઈ જરૂર નથી. માં મોગલ માત્ર ભક્તોના ભાવની ભૂખી છે. આ કોઈ ચમત્કાર નથી આતો માં મોગલ પર રાખે લો તમારો વિશ્વાસ છે.

આવોજ એક પરચો જેમાં થોડા સમય પહેલાં મોગલ ના ધામમાં એક સાબરકાંઠાની મહિલા આવી હતી. આ મહિલા ને માતા બનવાનું સુખ આજ સુધી પ્રાપ્ત થયું ન હતું અને તેને અનેક વાર સારા ડોક્ટરોને બતાવ્યું હતું અને પાણીની જેમ પૈસા વાપર્યા હતા પરંતુ તેને યોગ્ય નિદાન ન મળતા તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી પરંતુ તેના મીત્ર દ્વારા તેને માં મોગલ ની માનતા રાખવાનું જણાવ્યું હતું.ત્યારે આ મહિલાએ મા મોગલ ની માનતા રાખી હતી.

થોડા સમય બાદ તેના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો આ વાતે ખુશ થઈને તેને યથાશક્તિ પ્રમાણે માં મોગલ ના મંદિરે આવીને પૈસા ચડાવ્યા હતા અને મણીધર બાપુ આ પૈસામાં 20 રૂપિયા ઉમેરીને પૈસા મહિલા ને પાછા આપ્યા હતા અને જણાવ્યું હતું કે માં મોગલ ઉપર સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખજો માં મોગલ તમને કોઈ દિવસ દુઃખી નહીં થવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *