લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

માં ખોડિયાર ને માનતા હોય તો જાણો એમનો આ ઇતિહાસ,વાંચીને શેર જરૂર કરજો…

Posted by

ખોડિયાર માતાજીનું માટેલ મંદિર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ છે આ ગામ વાંકાનેર થી આશરે 17 કિ.મી.એ આવેલું છે અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે.

જે ઢોળાવ ચડીને મંદિરમાં જવાય છે અહીં જે જુનું સ્થાનક છે તેમાં ચાર મુર્તિઓ છે આ પ્રતિમાઓ આવડ ખોડિયાર હોલબાઈ અને બીજબાઈની છે તેમાં શ્રી ખોડિયાર માતાજીની મુર્તિ ઉપર સોના-ચાંદીનાં છત્ર સતર ઝુમે છે તેમ જ માતાજીને ચુંદડી ચડાવેલ હોય છે.

આ મંદીરની બાજુમાં જ નવું મંદિર બનેલું છે તેમાં ખોડિયાર માતાજીની આરસની સુંદર મુર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે તેની નીચે ખોડિયાર માતાજીનાં બહેન એવા જોગડ તોગડ અને સાંસાઈનાં પાળીયા ઉભા છે.

આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ઘુનો આવેલો છે જે માટેલીયા ધરા તરીકે ઓળખાય છે આ મીઠા પાણીનાં ધરામાં ઉનાળામાં પણ પાણી ખુટતું નથી આખુ માતેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે હાલ પણ આ ધરાનાં પાણીને ગરણામાં ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે.

આ ધરાની થોડો આગળ એક નાનો પાણીનો ધરો આવેલો છે તેને ભાણેજિયો ધરો કહેવામાં આવે છે કહેવાય છે કે આ ધરામાં ખોડિયાર માતાજીનું જુનું સોનાનું મંદિર આવેલું છે જેને જોવા માટે બાદશાહે નવસો નવાણુ કોસ પાણી ખેંચવાનું સાધન ધરે મંડાવ્યા હતાં.

ત્યારે ધરાનું પાણી કોસ દ્વારા ખેંચી લેવાતાં ધરામાં રહેલ મંદિરની ઉપરનું સોનાનું ઇંડુ જોવા મળ્યું હતું કહેવાય છે કે ત્યારે ખોડિયાર માતાજીએ ભાણેજિયાને પાણીનો હોંકરો ને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલ.

કે ધરે મંડાયેલ નવસો નવાણુ કોસને તાણીને ફરીથી ધરો પાણીથી ભરી દીધેલ આમ માતાજીએ સત દેખાડીને પરચો પુર્યો હતો આ વાતનો ઉલ્લેખ ખોડિયાર માતાજીનાં ગળધરેથી માજી નિસર્યા ગરબામાં જોવા મળે છે અહીં મંદિર પાસે અનેક દુકાનો આવેલી છે.

જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે હાલ અહીં માતેલ તિર્થધામ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે જે માતેલ ખોડિયાર માતાજીએ દર્શને આવતા યાત્રિકોને સારી એવી સગવડ પુરી પાડે છે અહીં તેઓએ મોટી ધર્મશાળાઓ બંધાવેલ છે.

જેથી અહીં રાત્રિ રોકાણ માટે ખુબ જ સુંદર સગવડ વિના મુલ્યે ઉપલબ્ધ છે એકવાર આ સાતેય બહેનોના ભાઈ મેરખિયાને સાપે ડંખ દીધો મેરખિયો પોતે નાગકુળનો અવતાર હતો એટ્લે જો ઇનો જેવ બચાવવો હોય તો પાતાળ લોકમાંથી અમૃતકુંભ લાવવો પડે.

અને એ લેબા માટે તેમના માતા દેવળબા જાન બાઈને પાતાળલોક મોકલે છે સૂર્યોદય થવા આવ્યો પણ જાનબાઈ આવ્યા નહી એટ્લે એમના માથાથી બોલાઈ ગયું કે ક્યાક ખોડાઈ તો નથી ગઈ ને હજી ન આવી આ સાંભળી જાન બાઈના પગ બારણાં પાસે જ ખોડાઈ જાય છે.

બસ ત્યારથી નામ પડ્યું ખોડિયાર ને એ જ સમયે દેવી ખોડીયાર મગર પર સવાર થઈને આવ્યા હતા તેમણે મગર પર સવાર થઈને જ પોતાના ભાઈને અમ્રુતકુંભથી સજીવન કર્યો હતો.

ચારણ કુળમાં અવતરેલ માતા ખોડિયારનો પ્રાગટ્ય ઇતિહાસ દરેક જ્ઞાતીના લોકો માતા ખોડિયાર ને પૂજે છે માતા માં દર્શન કરી પોતાના મનની મનોકામના પૂરી કરે છે રોજ લાખો શ્ર્ધાળુઓ માતા ખોડિયરના ધામ માટેલ અને રાજપરા ગામે આવે છે.

હોમ હવન કરી ધન્યતા અનુભવે છે માતા ખોડિયાર તેમના આશીર્વાદથી દરેક દૂખિયાના દુખ હરે છે ને એક પોકારે જ હાજરા હજૂર પહોંચી જાય છે માટેલ ધામનું આ ખોડિયાર મંદિર એક વરખડીના ઝાડ નીચે આવેલ છે જે મુખ્ય આસ્થાનો વિષય છે.

તેમજ આ મંદિરમાં માતા ખોડિયાર ના હાથમાં એક ત્રિશુળ છે જે વધે છે આ ત્રિશુળ ત્રાણ વર્ષે એક ઇંચ જેટલું વધી રહ્યું છે તેમજ અહીંયા એક માટેલ ધારો પણ છે જે ભક્તો માતા ખોડિયારાના દર્શન કરવા આવે છે એ આ ધારાના પણ દર્શન કરવા જાય છે.

ને ધારાનું પાણી પોતાના માથે ચડાવી ધન્યતા અનુભવે છે આ ધારાનું પાણી ક્યારેય બગડતું નથી કે દુકાળમાં પણ ખૂટતું નથી આ પાણી એકદમ ચોખ્ખું જ રહે છે એવું કહેવાય છે કે આ ધરાની અંદર માતા ખોડિયારનું સોનાનું મંદિર સમાયેલ છે.

માટેલ ગામનું આ મંદિર આશરે 1200 વર્ષ જૂનું છે આ મંદિર જવા માટે તમારે મોરબી થઈને અથવા તો વાંકાનેરઉપર થઈને પણ જઈ શકો છો આ મંદિરમાં માતાજીનાં બે સ્થાનક છે એક સ્થાનક સોના ચાંદીના છત્ર અને જુમરથી સજ્જ છે.

આહીનયા ભક્તો પ્રસાદમાં સુખડી ને લાપસી નો પ્રસાદ ઍરણ કરે છે ને ચુંદડી ને ચાંદલો ચડાવે છે ને મનોકામના પૂર્ણ કરવા માતાને પ્રાર્થના કરે છે આ મંદિરે વર્ષ દરમિયાન લોકો ખુબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે ઘણા લોકો દુર દુરથી માતાજીની પગપાળા માનતા ચડાવવા પણ આવે છે.

અહીં માતાજીની લાપસી નો પ્રસાદ ધરવામાં આવે છે તેમ જ આ મંદિરે અન્નક્ષેત્ર પણ કાર્યરત છે જેમાં દરેક માણસોને વિનામુલ્યે ત્રણેય ટાઈમ જમવાનું પ્રસાદ આપવામાં આવે છે જેમાં લાપસી શાક રોટલી દાળ અને ભાત પ્રસાદ તરીકે પિરસવામાં આવે છે અહીં આવવા માટે એસ.ટી બસ તેમજ પ્રાઈવેટ વાહન દ્વારા આવી શકાય છે તેમજ વાંકાનેર સુધી ટ્રેન પણ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *