આપણે દરેક લોકો જાણીએ છીએ કે આજે પણ મા મોગલ ના પરચા અપરંપાર છે. મા મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોના કામ પૂરા કર્યા છે. આથી મોગલધામ ભકત ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. અહીં દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે.તેથી આજે પણ ભગુડામાં સાક્ષાત મોગલ બિરાજમાન છે. ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર.આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.
માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે. મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે. કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે.
આજે આપણી કપરા ખાતે બિરાજમાન મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છે મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે. થોડા સમય પહેલા એક યુવક માનતા પૂરી કરવા માટે તે કચ્છના કબરાઉધામ આવ્યો હતો. ત્યારે તેને મણીધર બાપુએ આશીર્વાદ આપતા યુવકને પૂછ્યું કે દીકરા તારે શેની માનતા હતી. ત્યારે યુવકે જણાવ્યું કે જમીનને લઈને માતાજીની માનતા રાખી હતી અને માતાજીએ મારી માનતા પૂરી કરી એટલે હું માતાજી મોગલ ના ચરણોમાં હું 1.5 લાખ રૂપિયા અર્પણ કરવા આવ્યો છું.
ત્યારે મણીધર બાપુએ તે રકમ ની અંદર 11 રૂપિયા ઉમેરીને તે પૈસા પાછા આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તારી બેનને આપી દેજે માં મોગલ તારી બધી ઈચ્છા પૂરી કરી દેશે. માં મોગલ ને કોઈ દાન કે ભેટ ની જરૂર નથી માં મોગલ ઉપર જે વિશ્વાસ રાખવામાં આવ્યો છે તેનાથી જ માં મોગલ ભક્તોની દરેક મનોકામનાઓ પૂરી કરે છે.વધુમાં બાપુએ કહ્યું છે કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ માતાજી ઉપર રાખવામાં આવેલી શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેના જ કારણે તમારું કામ પૂર્ણ થાય છે અને અહીં માં મોગલ ને કોઈ દાન કે ભેટ જરૂર નથી. માં મોગલ માત્ર ભાવની ભૂખી છે.
આવાજ એક પરચો જેમાં એક મહિલા તેના દીકરા ને લઈને મોગલ ધામ દર્શન કરવા માટે આવી હતી. તે મહિલાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી તેના દીકરાની તબિયત ખુબજ ખરાબ થઈ ગઈ હતી. તબિયત એટલી બધી બગડી ગઈ હતી કે તે સરખી રીતે ચાલી પણ શકતો ન હતો.દીકરાને ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું તેમ છતાં તેની તબિયતમાં સુધારો આવ્યો ન હતો.
મહિલાએ માં મોગલ ની માનતા રાખી અને માનતા રાખતા ના થોડાક જ દિવસોમાં દીકરો સાજો થઈ ગયો.માનતા પૂરી કરવા માટે તેઓ દીકરાની સાથે કબરાઉધામ માં મોગલના મંદિરે આવી પોહચી હતી અને માં ચરણોમાં 5,100 ચઢાવ્યા. ત્યારે તે રૂપિયા તેઓને પરત આપતા મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ તો માત્ર ભાવની ભૂખી છે તેમને આ પૈસાની કોઈ જરૂર નથી.