લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

શું તમને ખબર છે પીએમ મોદીના કુળદેવી કોણ છે,જાણો વિગતવાર

Posted by

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ હવે તેજ થઈ ગયા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. ગુજરાતનાં ચૂંટણી જાહેર થાય અને આચાર સંહિતા લાગે તે પહેલા સરકારી કામોની ભેટ આપવા માટે ફરીવાર પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે.

જેમાં સતત ત્રણ દિવસ સુધી પ્રધાનમંત્રી ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓમાં વિવિધ લોકાર્પણ કરશે અને જંગી સભાઓને પણ સંબોધન કરશે. આ પહેલા પીએમ મોદી આવ્યા ત્યારે ભાવનર, અમદાવાદ અને સુરત જેવા ત્રણ મોટા શહેરોને કવર કરી લીધા હતા.

મહેસાણા જિલ્લાના મોઢેરા પહોંચેલા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં મહેસાણા જિલ્લામાં રૂ.3092 કરોડના વિકાસ કામોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોઢેરામાં લોકોને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ સૂર્ય મંદિરથી મોડેશ્વરી માતા મંદિર સુધી રોડ શો કર્યો હતો.

પીએમ મોદી પોતાના પરિવારની કુળદેવી મોડેશ્વરી માતાના મંદિરે પહોંચ્યા છે. જ્યાં પીએમ મોદીએ મા મોડેશ્વરીના દર્શન કર્યા હતા અને પ્રાર્થના અને આરતી કરી હતી. થોડીવારમાં સૂર્ય મંદિર ખાતે 3-ડી લાઇટિંગ શો પણ શરૂ થશે.

વિકાસ કામોની ભેટ આપ્યા બાદ વડાપ્રધાન મોદીનો સૂર્ય મંદિરથી મોડેશ્વરી માતાના મંદિર સુધીનો રોડ શો. કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શન બાદ વડાપ્રધાને કરી આરતી, સૂર્ય મંદિરમાં 3D લાઈટ શો પણ શરૂ થયો

શું તમે જાણો છો પીએમ મોદીની કુલ દેવી કોણ છે?.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કુળદેવીના દર્શન કરશે. મોઢેરા ખાતે મોઢેશ્વરી માતાજીના દર્શન થશે. વર્ષ 2003માં જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે તેઓ પહેલીવાર અહીં આવ્યા હતા.

હવે પીએમ મોદી બીજી વખત કુળદેવીના પ્રવાસે જશે. મોડેશ્વરી માતાજીના મંદિરે વડાપ્રધાનના આગમનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મોડેશ્વરી માતાજીનું મંદિર ત્રણ વખત તૂટી ચૂક્યું છે.

1962માં મોડેશ્વરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારે પાટણમાં વકીલાત કરતા વિરમગામના વતની નાથુભાઈ વકીલે સોગંદ લીધા હતા કે જ્યાં સુધી તેઓ તેમની માતાને પુનઃસ્થાપિત નહીં કરે ત્યાં સુધી તેઓ માથામાં પાઘડી અને પગમાં સેન્ડલ નહીં પહેરે.

ત્યારબાદ 1962માં મોડેશ્વરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. તે નોંધપાત્ર છે કે મોઢ બ્રાહ્મણ, મોઢ વણિક, મોઢ મોદી, મોઢ પટેલ એમ ચાર જ્ઞાતિના મોઢેશ્વરી માતાજી કુળદેવી છે. મહાસુદ 13 એ માતાજીનો જન્મદિવસ છે, ત્યારે મોટા ઉત્સવની ઉજવણી માટે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *