લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ભાણી એ મામા માટે માનેલ માનતા માં મોગલે એક ઝટકા માં પુરી કરી અને બતાવ્યો પરચો,જાણો..

Posted by

મોગલ નું નામ લેવા થી બધા લોકો ના દુઃખ દર્દ દૂર થઇ જાય છે માં મોગલ પર લોકો ને એટલી બધી શ્રદ્ધા છે કે દૂર દૂર થી માં ના દર્શન કરવા આવતા હોય છે માં મોગલ ના પરચા પણ અપરંપાર છે.

માંની પાસે જે પણ માંગો તે માં આપતા હોય છે બસ માં મોગલ પર શ્રદ્ધા હોવી જોઈએ માતા ના પારે આવો એટલે માં બધી મનોકામના પુરી કરી દે છે મોગલ માનો મહિમા અપરંપાર છે માત્ર એટલું જ નહીં.

પરંતુ મા મોગલના આજ દિન સુધી લાખોની સંખ્યામાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ માં મોગલ ના પર્ચા અપરંપાર છે.

માં ના પરચા ના કિસ્સા સામે આવતા જ હોય છે.હાલમાંજ એક યુવતી 5 હજાર રૂપિયા લઈને માં મોગલના ધામ કબરાઉ આવી હતી. માં મોગલ ના આશીર્વાદ લીધા અને તેને મણિધર બાપુને 5 હજાર રૂપિયા આપ્યા. ત્યારે મણિધર બાપુએ કહ્યું કે શેની માનતા રાખી હતી.

ત્યારે યુવતીએ કહ્યું કે મારા મામાની નોકરી જતી રહી હતી અને તેનાથી આખા પરિવારમાં ખુબજ ચિંતા સર્જાઈ હતી. બીજી નોકરીની તપાસ કરવામાં આવી રહી હતી.પણ તેમને જોવે એવી બીજી નોકરી નહતી મળી રહી.

તો યુવતીએ માં મોગલની માનતા રાખી હતી કે મારા મામાને સારી નોકરી મળી જાય તો હું તમારા માં મોગલ ના મંદિરે આવીને 5 હજાર રૂપિયા ભેટ સ્વરૂપે ચઢાવીશ. માનતા રાખ્યા ને થોડાક જ દિવસોમાં માં મોગલના આશીર્વાદથી યુવતીના મામાને નોકરી મળી ગઈ.

આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો અને યુવતી તરત જ માં મોગલની માનતા પુરી કરવા માટે ત્યાં દોડી આવી હતી અને મણિધર બાપુએ યુવતીને કહ્યું કે તારી માનતા પુરી થઇ ગઇ છે આ પૈસા તું તારી પાસે રાખજે માં મોગલે તારી બધી માનતા સ્વીકારી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *