પેટ,પગ અને માથા નો દુખાવો એ આમ વસ્તુ થઈ ગઈ છે. કેટલાક લોકો ને અચાનક શરીરના અમૂક હિસ્સા માં દર્દ થવા માંડે છે.આ માટે તમે દવા લીધા કરતા ઘરેલુ ઉપાયો અપનાવવા જોઈએ.આપણાં આયુર્વેદ માં ઘણી એવી ચીજો નું વર્ણન કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કરવાથી શરીર ના ઘણા એવાં દુખાવા ને મિનિટો માં દૂર કરી શકાય છે. અને કોઈ પણ જાતની દર્દ નિવારક ગોરી ખાવાની પણ જરૂર નથી પડતી.એવી કંઈ દવા છે જેનાથી દર્દ નિવારણ થઈ શકે છે તે જોવો આ પ્રમાણે છે.
સરસો નું તેલ:
સરસો ના તેલ ની શરીર પર માલિશ કરવાથી ઘણી રાહત મળે છે.અમુક લોકો ને માથાં માં અને કમર ની તકલીફ હોય તે ગરમ કરી ને દર્દ વાળા હિસ્સા માં લગાવવું માલિશ કરતા ની સાથે જ દર્દ એક દમ જ દૂર થવા લાગશે. માથું દુખવા સિવાય કાન ના દુખાવામાં પણ સરસો નું તેલ કારગર છે.
સરસો નું ગરમ કરી અંદર થોડીક લસણ ની કરી નાખી રૂ ના મદદ થી કાન ના અંદર ટીપાં નાખવા એવું કરવાથી કાન ના દર્દ ની અંદર રાહત માંડશે.
હિંગ:
હિંગ ને પેટ માટે ઘણો લાભદાયક માનવામાં આવે છે. રોજ હિંગ નું થોડું સેવન કરવામાં આવે તો પેટ એકદમ સાફ રહે છે. પેટ નો દુખાવો કફ,એસીડીટી,અપચો,પેટ ફુલવાનું કારણ થી જો રોજ હિંગ ખાવા માં આવે તો આ સમસ્યાઓ થતી નથી. પેટ મા દુખાવો થાય તો હિંગ ને થોડા પાણી માં ઓગળી પી લેવા થી પેટ નો દુખાવો દૂર થઈ જાય છે.
આદું:
પગ નો દુખાવો, ખાંસી, સોજા જેવી સમસ્યા આદું ખાઈ ને દૂર કરી શકાય છે. આદું નું સેવન કરવાથી આ બધી સમસ્યો દૂર કરી શકાય છે.આદું ખવાથી પગ ની દર્દ, સુજન જેવી સમસ્યાઓ થી રાહત થાય છે.
લવિંગ:
દાંત માં દુખાવો થવાં લાગે તો લવિંગ અથવા એનું તેલ લગાવવાથી દાંત નો દુખાવો દૂર થાય છે.શરીર ના કોઈ પણ હિસ્સામાં સોજો હોય તો આ તેલ ની મકલીશ કરવાથી આરામ મળે છે.
કુંવારપાઠું:
આ પણ એક દર્દ નિવારક ચીજ છે. એના લેપ થી પગ નું દર્દ દૂર કરી શકાય છે.પગ માં દુખાવો હોય ત્યાં આની જેલ લગાવવાથી દર્દ ઓછું થવાં લાગશે.દર્દ સિવાય ચોટ યા ખરોચ પર જેલ લગાવવાથી ઘાવ જલ્દી રુજવા માંડે છે.