લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

આ મહિલાએ રાખેલી માનતા પૂરી થતાં સોનાની વિટી લઈને મણીધર બાપુ પાસે પોહચી પછી થયું એવું કે…

Posted by

આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે. પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.

બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે. માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.

દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે. હાલમાંજ એક મહિલા ની મનોકામના માતાજી એ પરિપૂર્ણ કરી.

તેના પરિવારના સદસ્ય કે જેને કોરોના થયો હતો તેને એકદમ સારૂં થઈ ગયું. ત્યારે આ મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે કાબરાઉ સ્થિત મોગલધામ એ આવી પહોંચી હતી.મોગલ ધામમાં બિરાજમાન મણીધર બાપુ એ તેને પૂછ્યું કે, બેટા! આ શાની માનતા છે?.

ત્યારે આ મહિલાએ કહ્યું કે, મારા ઘરના એક સદસ્યને કોરોના થયો હતો અને અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ બની હતી. ત્યારે કોઈ પણ માર્ગ ન સુઝતા મેં માં મોગલ પાસે માનતા માંગી હતી.માં મોગલ એ મારી માનતા પૂર્ણ કરી છે માટે હું અહીં મારી માનતા પૂર્ણ કરવા માટે આવી છું અને આમ કહેતા આ યુવતીએ ત્યાં સોનાની વીંટી આપી.

મણીધર બાપુએ આ વીંટી પાછી આપતા કહ્યું કે, માં મોગલ તો ભાવ ના ભૂખ્યા છે. તેમને દાન કે ભેટ ની જરૂર નથી. તેમના પ્રત્યે સાચી શ્રદ્ધા દાખવવામાં આવે ત્યારે જ માં મોગલ તમારી મનોકામના પૂર્ણ કરે છે. આ વીંટી તું તારી દીકરીને આપી દેજે. મા મોગલ એમાં જ પ્રસન્ન થઈ જશે.આજની તારીખે પણ મોગલ ધામ માં એક રૂપિયાની પણ ભેટ કે સોગાત લેવામાં આવતી નથી.

આ ઉપરાંત આશ્ચર્યની વાત એ છે કે, અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. આ દરેક ભક્તોને પ્રસાદી પૂરી પાડવામાં આવે છે. એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે ભૂખ્યા પેટે પોતાના ઘરે પરત ફર્યો હોય. આ માં મોગલ ની માયા નથી તો શું છે! માં મોગલના આશીર્વાદ માત્રથી અહીંના અન્નક્ષેત્રો ભરાયેલા રહે છે અને મોટી સંખ્યામાં લોકોને ભોજન કરાવવામાં આવે છે.

માતા મોગલના પરચા અપરંપાર છે. ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના દુખડા હણી લે છે. આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે. માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે. કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *