આજના સમયમાં લોકો ઉપર વિશ્વાસ કરવો એ બઉ મોટી વાત છે કારણે લોકો પર ગમે તેટલો વિશ્વાસ મૂકીએ લોકો આજના આ કળિયુગ સમયમાં તોડી જ નાખે છે.મિત્રો આગળ જણાવીએ કે લોકો પોતાની હવસ સંતોષવા શું નથી કરતા ગમે તે જગ્યા એ ગમે તે કરીને લોકો પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે.
તમને જણાવી દઈએ કે આજના કળિયુગ સમયમાં લોકો પોતાની હવસ સંતોષવા એક યુવકે જરૂરિયાત કરતાં વધારે ઉત્તેજનાની ગોળીઓ ખાઈ લીધી હતી તો ચાલો જાણીએ કે ત્યાર બાદ યુવક સાથે શું થયું.
મિત્રો તમને જણાવી દઇએ કે 25 વર્ષના એક યુવકનું કામેચ્છા વધારવાની દવાના ઓવરડોઝના કારણે ગુરુવારે મોત થઈ ગયું. માહિતી મુજબ, યુવકને હોસ્પિટલમાં એડમિટ કરાતા પહેલા તેણે કામેચ્છા વધારવની 10 જેટલી ગોળીઓ એકસાથે ખાઈ લીધી હતી, જે બાદ તેનું શ્વાસ લેવામાં તીવ્ર તકલીફ સર્જાઈ હતી.
તપાસ અધિકારી એસ.આઈ દેવેન્દ્રના કહેવા મુજબ, પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. જોકે મૃતક બાબુ માણીએ તેની પાછળ કોઈ સુસાઈડ નોટ છોડીને ગયો નથી અને પોલીસ તેના આમ કરવા પાછળનું કારણ જણવાનો પ્રયાસ કરી રહી છે.
બાબુ અપરિણીત હતો અને પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો. તેના નાના ભાઈ સોનુએ પોલીસને જણાવ્યું કે, બાબુએ 7મી ડિસેમ્બરે કામેચ્છા વધારતી દવાઓનું સેવન કર્યું હતું. દવા લીધાના તુરંત બાદથી જ તેનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું. તે બેચેની, ગડબડાટ, ઉબકા અને ઉલ્ટી તથા પેટમાં તીવ્ર દુઃખાવાની ફરિયાદ કરવા લાગ્યો.
તેની તબિયત ખરાબ થતા બાબુએ ડોક્ટર પાસે જઈને કેટલીક દવાઓ પણ લીધી હતી. પોલીસના કહેવા મુજબ, તેને શ્વાસ લેવામાં વધારે તકલીફ થતા તેના પરિવારજનો તેને અન્ય પ્રાઈવેટ ડોક્ટર પાસે લઈ ગયા હતા, જ્યાં 9મી ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.
જોકે બીજા દિવસે મોડી રાત્રે 2 વાગ્યે તેનું નિધન થઈ ગયું. મૃતક બાબુની વિસેરા રિપોર્ટ ફોરેન્સિક ટેસ્ટ માટે સાચવી રખાઈ છે. પોલીસને આશા છે કે તેની ઓટોપ્સી રિપોર્ટ મૃત્યુનું સાચું કારણ જણાવશે.
બાબુની સારવાર કરનારી હોસ્પિટલના ડો. રાજેશ રાય કહે છે, બાબુની સાથે આવેલી વ્યક્તિએ જણાવ્યું હતું કે તેણે કામેચ્છા વધારતી દવાઓનું સેવન કર્યું હતું. જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેનું શ્વસનતંત્ર ફેઈલ થઈ ગયું હતું અને તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. ડો. રાય વધુમાં ઉમેરે છે કે, તેણે કઈ બ્રાન્ડની ગોળીઓનું સેવન કર્યું હતું તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
શારિરીક સંબંધ બાંધવા માટે લોકો શું શું નથી કરતા, ક્યારેક કોઈ રીતે કરવામાં આવેલો આવેલો જુગાડ જાનલેવા સાબિત થતો હોય છે. આવો જ કે મામલો સામે આવ્યો છે કે મેક્સિકોના શહેર રિનોસાથી. અહીં એક વ્યક્તિએ બળદને ઉતેજીત કરતી દવા ખાઈ લીધી હતી. ત્યારબાદ તેને ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.યુવકની હાલત એટલી ખરાબ થઇ ગઈ હતી કે ડોક્ટરોએ તેના લિંગની સર્જરી કરવી પડી હતી.
આ વ્યક્તિએ 30 વર્ષની મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાના આદેશથી મેક્સિકોમાં બળદને ઉત્તેજિત કરતી દવા ગળી લીધી હતી. ત્યારબાદ તેની હાલત એટલી ખરાબ થઇ ગઈ હતી કે તેને ઉત્તેજિત હાલતમાં જ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
આ વ્યક્તિ ત્રણ દિવસ સુધી ઉત્તેજિત હાલતમાં રહ્યો હતો. યુવકની હાલત એટલી ખરાબ થઇ ગઈ હતી કે ડોક્ટરોએ તેના લિંગની સર્જરી કરવી પડી હતી. આ વ્યક્તિ રિનોસા શહેરના સ્પેશ્યલાઈઝડ હોસ્પિટલ નંબર 270માં ભરતી કરવામાં આવ્યો છે. તેણે જે દવા આરોગી હતી તે વેરાક્રુઝ નામની જગ્યાએથી લઈને આવ્યો હતો.
આ દવા મેક્સિકોના ખેડૂતો ત્યારે બળદને ખવડાવે છે કે જયારે ગાય સાથે તેની પ્રજનન ક્રિયા કરાવવાની હોય. આ દવાના ઉપયોગથી એક બળદ ઘણી ગાયોને ગર્ભ ધારણ કરાવી શકે છે. રિનોસા શહેર અમેરિકા અને મેક્સિકોની સરહદનું શહેર છે. અહીંયાથી રિયો ગ્રાન્ડે નદી વહે છે.સ્પેશ્યલાઈઝડ હોસ્પિટલ નંબર 270ના ડોક્ટરોએ હજુ સુધી જણાવ્યું નથી કે તે વ્યક્તિને ઓપરેશન કર્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દીધો કે નહિ.
ઉલ્લેખનીય છે કે મેક્સિકોનો વેરાક્રુઝ વિસ્તાર સેક્સ સંબંધિત દવાઓની સ્મગલિંગ માટે જાણીતો છે. આ વિસ્તારમાં હથિયારોના સ્મગલિંગ,દેહ વ્યાપાર અને ડ્રગ્સ વેચવા વાળા વિસ્તારો વચ્ચે ગેંગવોર માટે પણ જાણીતો છે.પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક પ્રેમિકાએ પોતાના બોયફ્રેન્ડ ને બાંધીને વાયગ્રા ખવડાવી અને એટલી વાર શારીરિક સબંધ બાંધ્યા કે બોયફ્રેન્ડ ની હાલત બગડી ગઈ.
સામાન્ય રીતે દુનિયાભરમાં મહિલા પર પુરૂષ દ્વારા અત્યાચાર અને બળજબરીથી શારીરિક શોષણ કરવામાં આવતુ હોવાની ઘટના ઘટતી હોય છે. પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ પુરૂષ પર એવી શારીરિક યાતના ગુજારી કે ભલભલાના રૂંવાડા ખડા થઈ જાય. એક મહિલા પુરૂષ પાસે વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતી હતી.
સાથો સાથ તે ધીમે ધીમે પુરૂષ સાથે હિંસા પર પણ ઉતરી આવી. શરૂઆતમાં તે મહિલા પોતાને જ નુંકશાન પહોંચાડતી. પુરૂષ તેને ડૉક્ટર પાસે પણ લઈ ગયો હતો. પરંતુ છ મહિનાની અંદર જ તે પુરૂષ સાથે જ મારપીટ કરવા લાગી હતી. આ બાબતનો ખુલાસો એક જાણીતી સમાચાર ચેનલમાં કરવામાં આવ્યો હતો.
પીડિત પુરૂષના જણાવ્યા પ્રમાણે તેની પાર્ટનર કામ કરીને તેની પાસે આવતી હતી અને આવીને સીધી જ શારીરિક સંબંધની જ માંગણી કરતી હતી. આ દરમિયાન તે હિંસક બની જતી હતી.
પીડિત પુરૂષના જણાવ્યા પ્રમાણે, એક રાતે તો જ્યારે હું ઉંઘમાંથી ઉઠ્યો તો મારા હાથમાં હાથકડી હતી. તે દરમિયાન જ ગર્લફ્રેન્ડ તેના પર સ્પિકર વડે હુમલો કરવા લાગી. જ્યારે તે પ્રેગ્નેન્ટ બની તે દરમિયાન થોડા દિવસ મારી સાથે કોઈ જ હિંસા ના થઈ.
પરંતુ ફરી એકવાર રાત્રે તેને હાથકડી લગાવી બાંધી દેવામાં આવ્યો હતો. પીડિત યુવકે વધુમાં ઉમેર્યું હતું કે, તેને બળજબરીપૂર્વક વાયગ્રા ખવારવામાં આવી. આ સમયે તે પોતાના બચાવમાં કંઈ જ કરી શકે તેમ નહોતો. પરંતુ બાદમાં તેણે પોતાન મિત્રોને આ બાબતે જાણ કરી હતી. મિત્રો દ્વારા તેને સામે સવાલ કર્યો હતો કે તે ઘર કેમ ના છોડી દીધું? તે સામે તારી ગર્લફ્રેન્ડને કેમ ના મારી? આ સવાલે તેને વધારે હેરાન પરેશાન કરી મુક્યો.
પીડિત બોયફ્રેન્ડનું કહેવું છે કે, તે તેના પોતાનું મકાન હતું જે તેણે પોતાના બાળકો માટે ખરીદ્યું હતું. તે આ રિલેશનસિપમાં ફસાયેલો હોવાનું અનુંભવી રહ્યો હતો. સિઓભન વીનરના એક અહેવાલમાં આ કેસ સહિતના અનેક કેસનું અધ્યયન કરી તારણ કાઢવામાં આવ્યું હતું કે, પુરૂષો હંમેશા મહિલા કરતા વધારે મહબુત હોવાની વાત ખોટી ઠરી છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે., લગ્ન બાદ પોતાના પાર્ટનર તરફથી સેક્સ્યુઅલ પ્લેઝરમાં સંતુષ્ટી મળી જાય તેવી ઈચ્છા દરેક ગર્લની હોય છે. જ્યારે પાર્ટનર સેક્સ્યુઅલ પ્લેઝર આપવામાં નિષ્ફળ રહેતો હોય છે ત્યારે રિલેશનશિપમાં કંઈક ખૂંચવા લાગતું હોય છે.
આવું જ કંઈક એક યુવતી સાથે હાલમાં બની ગયું છે. યુવતી બોયફ્રેન્ડ સાથે લગ્ન બાદ હનીમૂન પર ગઈ હતી ત્યારે તેને ખબર પડી હતી કે તેનો પતિ એક માઈક્રો પૈનીસ ધરાવે છે. જે બાદ તે ખૂબ જ નિરાશ અને ગુસ્સે થઈ ગઈ હતી
બોયફ્રેન્ડ હંમેશા અંગતપળો માણવા માટે ના પાડતો હતો રિપોર્ટ અનુસાર આ યુવતીએ પોતાનો અનુભવ રેડિટ નામની વેબસાઈટ પર શેર કર્યો હતો અને 27 વર્ષની આ યુવતીના 32 વર્ષના યુવક સાથે લગ્ન થઇ ગયા હતા. યુવતી પોતાનો અનુભવ લખતા જણાવ્યું છે કે તેનો પતિ હંમેશા લગ્ન પહેલા અંગતપળો માટે ના પાડતો હતો. આ માટે તે એવું કારણ આપતો હતો કે તે થોડા જૂના વિચારોનો છે.
આ યુવતી અને યુવક 6 મહિના સુધી એકબીજાને ડેટ કર્યા અને 6 મહિના સુધી તેમની સગાઈ રહી હતી અને છેક લગ્ન બાદ હનીમૂન પર યુવતીને ખબર પડી હતી કે તેના પતિનું પૈનીસ માત્ર દોઢ ઈંચનું જ છે વધુમાં યુવતી લખે છે કે હું થોડા જ કલાકો પહેલા હનીમૂન પરથી પાછી આવી છું અને અમે અમુકવાર એકબીજાની નિકટ પણ આવ્યા હતા, પરંતુ દરેક વખતે તે પોતાને અટકાવી લેતો હતો.
યુવતીએ આ રીતે ઠાલવ્યો હતો પોતાનો રોષ, પતિની હકીકત જાણ્યા પછી અને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જાણીને યુવતી ખૂબ જ ગુસ્સે થઈ હતી અને યુવતીએ પોતાનો ગુસ્સો લખીને ઠાલવ્યા બાદ ઘણા લોકો યુવતીની આ સમસ્યા સાથે સંમત પણ થયા હતા. એક યુવકે લખ્યું હતું કે આ સ્પષ્ટ રીતે વિશ્વાસઘાત જ છે. જો યુવક પોતાની સમસ્યા કહેવા માટે યુવતી પર વિશ્વાસ ન કરતો હોય તો યુવતીએ પણ તેનો વિશ્વાસ ન જ કરવો જોઈએ.