લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

જાણો ગુજરાતના એવા મંદિર વિશે જ્યાં 600 વર્ષો થી માટલા માં રહેલું ઘી જરા પણ બગડ્યું નથી,જાણો આ વર્ષો જુના મંદિરનો ઇતિહાસ…

Posted by

ભારત એક એવો દેશ છે, જે પોતાની વિશેષ સંસ્કૃતિ ના કારણે પુરી દુનિયામાં ઓળખવામાં આવે છે. અહીં દેશ ના ખૂણા-ખૂણા માં એવા -એવા કામ કરવામાં આવે છે, જે ફક્ત અહીં જ દેખવા મળી શકે છે. દેશ ના દરેક ભાગ ની પોતાની એક અલગ માન્યતા છે. તમે તો જાણો જ છો કે ભારત માં ધર્મ ને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.

અહીં પર એટલી સંખ્યા માં મંદિર છે કે તેમને ગણી શકવા લગભગ મુશ્કેલ છે. જો આ દેશ ને મંદિરો નો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. અહીં ની દરેક ગલી માં એક મંદિર દેખવા મળી જાય છે. ગુજરાતમાં ઘણા એવા પ્રાચીન મંદિરો આવેલા છે,જેની કહાની સાંભળીને તમને આશ્ચર્યચકિત થશે.

આજે આપણે આવા જ એક મંદિર વિશે વાત કરીશું.ગુજરાતમાં અમદાવાદથી 50 કિલોમીટર દૂર આવેલા આ મંદિરમાં કાળા માટીના વાસણમાં લગભગ 13 થી 14 હજાર કિલો ઘી પડેલું છે,જે છેલ્લા 600 થી 650 વર્ષોથી છે,જે આજ સુધી બગડ્યું નથી કે તેમાં કોઈ જીવ-જંતુ પડ્યું નથી.

અમદાવાદથી 50 કિલોમીટર દૂર ખેડા જિલ્લાના રઢૂ નામના ગામમાં વાત્રક નદીના કિનારે આવેલા આ ગામના કામનાથ મહાદેવ મંદિરમાં આશરે 600 થી 650 કાળા માટીના વાસણો ભરાયેલા છે.આ ઘી વર્ષોથી મંદિરના ઓરડામાં પડેલું છે.

સામાન્ય રીતે જો ઘીનો ઉપયોગ થોડા સમય માટે કરવામાં આવે તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે અથવા જંતુઓ તેમાં ફસાઈ જાય છે.પરંતુ આ રૂમમાં 13 થી 14 હજાર કિલો ઘી છેલ્લા 600 વર્ષથી આ રીતે પડેલું છે.ગરમી અને ઠંડીમાં પણ આ ઘીમાં કોઈ ફરક નથી.આ સિવાય એવું માનવામાં આવે છે કે મંદિરમાં આવતું આ ઘી ક્યારેય કાપવામાં આવતું નથી.

તેના બદલે,તે હંમેશા વધે છે.આ સિવાય,મંદિરનું આ ઘી ક્યારેય બહાર કાઢવામાં આવતું નથી કે તેનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ થતો નથી.માન્યતા અનુસાર,આમ કરવાથી તેમને ઘણું નુકસાન સહન કરવું પડે છે.

તેનો ઉપયોગ વલ્લી જ્યોતમાં મંદિરમાં પ્રગટાવવા અને મંદિરના પ્રાંગણમાં થતા યજ્ઞમાં થાય છે.જો કે,આ પછી પણ,તે ક્યારેય ઘટતું નથી.આ મંદિર 1445 માં બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક કહાનીઓ અનુસાર,આશરે 600 વર્ષ પહેલા,રઢૂના જેસંગભાઈ પટેલ આ મંદિરમાં મહાદેવ જીની જ્યોત લાવ્યા હતા.જેના માટે તેમણે ભગવાન શિવનું સ્વપ્ન આવ્યું હતું.

ત્યારથી,નજીકના ગામોમાંથી ભક્તો તેને જોવા માટે આવે છે.આટલા મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ અનેક માન્યતા જોડાયેલી છે. રઢુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઇ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચા જન્મે પછી તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં વર્ષે ૩૫ જેટલી માટીની ગોળીઓ ઘીથી આમાજ ભરાઈ જાય છે.

આ પછી દરેક પોતાની શ્રધ્ધા મુજબ માન્યતાઓ રાખે છે જે પૂરી થતા ઘી ચડાવે છે. કિલોથી લઈને ઘીના ડબ્બાઓ સુધીની ચઢામણી ગામેગામથી શ્રદ્ધાળુઓ દ્વારા આવે છે.

આજ કારણે આજે ૧૩ હજારથી કિલોથી પણ વધારે ઘી અહી એકઠું થઈ ગયું છે. શ્રાવણ મહિનામાં અહી ભાવિક ભક્તોની ભીડ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતના બીજા ગામોમાંથી બસો દ્વારાલોકો દર્શન કરવા આવે છે.

ખેડા જિલ્લામાં અનેક શિવાલયો વર્ષોપુરાણા હોવા સહિત ઐતિહાસિક સમયની યાદ અપાવે છે.પાંચ નદીઓના સંગમસ્થાન પર આવેલ કામનાથ મહાદેવ મંદિર ૧૪૪પમાં બન્યું હોવાની લોકવાયકા છે.

આજથી ૫૭૫વર્ષ પહેલા આ મંદિરમાં મહાદેવજીની જયોત રઢુના જેસંગભાઇ હીરાભાઇ પટેલ વર્ષો પહેલા લાવ્યા હતા. તેઓ મહાદેવજીના ભકત જેસંગભાઇ દરરોજ સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ ખોરાક લેતા હતા. એક રાત્રિએ જેસંગભાઇને સ્વપ્ન આવ્યું હતું. જેમાં મહાદેવજીએ કહ્યું હતું કે, પુનાજ ગામેથી દીવો પ્રગટાવીને મને લઇ આવ.

આથી બીજી સવારે સ્વપ્નની વાત જેસંગભાઇએ ગ્રામજનોને કરતા સૌ શ્રદ્વાપૂર્વક રઢુથી આઠેક કિલોમીટર દૂર આવેલા પુનાજ ગામે પહોંચ્યા હતા અને ત્યાંથી દીવો પ્રગટાવીને સાથે લીધો હતો.

કહેવાયછે તે સમયે વરસાદ અને ભારે પવન હતોછતાંયે દીવો અખંડ રહ્યો. સંવત ૧૪૪પમાં દીવાની સ્થાપના કરીને નાની ડેરી બનાવી હતી. ત્યારથી ગામ સહિત આસપાસના પંથકના ભાવિકજનો મહાદેવજીના દર્શને આવે છે.

આટલાવર્ષો પછી પણ ભક્તજનોમાં આ સ્થાનકનું મહત્વ અને શ્રધ્ધા જળવાઈ રહ્યા છે.અહી વરસોવરસ ઘીના વધારાને સંઘરવા જગ્યા ઓછી પડે છે. જેના કારણે સંવત ર૦પ૬ના શ્રાવણ માસથી દર વર્ષે મહિના દરમિયાન હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞ સવારે ૬ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ચાલે છે.

જેમાં ઘીનો હોમ કરવામાં આવે છે. દિવસભર મોટી સંખ્યામાં ભાવિકજનો યજ્ઞના દર્શનાર્થ આવે છે. ઉપરાંત શ્રાવણ વદ બારસના દિવસે શ્રી કામનાથ દાદાનો મોટો મેળો ભરાય છે.

જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો કામનાથમહાદેવ જેમને લાડમાં દાદા કહે છે તેમની રથયાત્રા કરે છે. આખા ગામમાં ભક્તિ અને ભાવથી યાત્રા નીકળે છે. પ્રભુ દર્શનની સાથે ભાતીગળ લોકમેળાનો આનંદ મણે છે. મંદિરમાં ટ્રસ્ટ નીમાયું છે જેના કારણે વહીવટ સુવ્યવસ્થિત ચાલે છે.

આજ ટ્રસ્ટની આગેવાની હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથીઅન્નક્ષેત્ર ચાલે છે જ્યાં અહી દર્શનાર્થે આવતા ભક્તોને જમવાની વ્યવસ્થા પૂરી પડાય છે.શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ દરેકની પોતાની અંગત માન્યતા છે પરંતુ દરેકના આશ્ચર્ય વચ્ચે આટલા બધા વર્ષોથી સંગ્રહાયેલા ઘીના સ્વાદ કે સુગંધમાં કોઈ ફર્ક નથી પડ્યો એ હકીકત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *