સવાલ. હું 19 વર્ષની છું.મને સ્વપ્નદોષની સમસ્યા સતાવે છે.છેલ્લા એક વર્ષથી હું આ સમસ્યાથી પીડાઉ છું.પહેલા મને હસ્ત-મૈથુનની આદત હતી.જે મેં છોડી દીધી છે.મારી આ સમસ્યા દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી.
જવાબ.સ્વપ્નદોષ એ મૈથુનનો જ એક પ્રકાર છે. તમને કોઇ બીમારી નથી. ચિંતા કરવાની જરૂર નથી.હસ્ત-મૈથુનની આદત હતી ત્યારે તમને સ્વપ્નદોષ થતો નહોતો. આ આદત બંધ કરી દેતા મનનો આવેગ સ્વપ્નદોષ દ્વારા દૂર થાય છે. આ સમસ્યા નથી અને આની કોઇ દવા નથી.
સવાલ.હું 31 વરસની ડિવોર્સી છું.છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું.મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી. પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી. તે મને છોડી દેશે એનો મને ડર છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો.અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા. આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી. આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે.
હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો. તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી. તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. તમારી જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.
સવાલ.હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે.સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે.નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.
સવાલ.હું ૧૬ વરસની છું.૨૬ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે.મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી.કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી.આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે.પરંતુ હું આમ કરી શકતી નથી.અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે.હું તેના વગર રહી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપશો.
જવાબ.આમ પણ તમે હજુ સુધી સગીર છો. આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી. એનો તમે ખુલાસો કર્યો નથી.
સવાલ.હું ૧૮ વરસની છું. માસિક નજીક આવે ત્યારે મારો સ્વભાવ ચીડચીડો બને છે. બહારગામ જવાનું હોય ત્યારે આ સમસ્યા વધુ વકરે છે. મારું માસિક પણ અનિયમિત હોવાથી હું પ્રવાસની પૂર્વ યોજના પણ બનાવી શકતી નથી. માસિક લંબાવી શકાય એવી કોઈ પદ્ધતિ છે ખરી.
જવાબ.પ્રોજેસ્ટોરોન ગોળીઓ લઈને તમે તમારું માસિક લંબાવી શકો છો. આ બાબતે તમારા ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય દવા લો. આ દવા માસિક આવે એના પહેલા છ-સાત દિવસ પૂર્વે શરૂ કરવી પડે છે.અને પ્રવાસ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રાખવી પડે છે. ગોળી બંધ કર્યાંના સાત દિવસ પછી માસિક આવે છે. આ ઉપરાંત તમારે તમારા અનિયમિત માસિકની સમસ્યા માટે ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે.
સવાલ.અમારા લગ્નને ત્રણ વર્ષ થયા છે. અમારી સે@ક્સ લાઈફ પણ સારી છે, પરંતુ તેમ છતાં મેં મારા પતિને છૂપી રીતે હસ્ત-મૈથુન કરતા જોયા છે. તેના આ ખોટા વર્તનથી હું ઘણા દિવસોથી પરેશાન છું. તેનું વર્તન પણ અપમાનજનક છે. મને સમજાતું નથી કે શું કરવું. શું મારામાં અભાવ છે કે હું તેમને સંતોષવામાં અસમર્થ છું? મહેરબાની કરીને યોગ્ય સલાહ આપો, જેથી હું તેની આ આદતથી છૂટકારો મેળવી શકું.
જવાબ.સૌથી પહેલા તમારે તમારા મગજમાંથી આ વાત કાઢી નાખવી જોઈએ કે હસ્તમૈથુન ખોટું છે અથવા કોઈ ગંદું કૃત્ય કે આદત છે. તેને સ્વસ્થ માનસિકતા સાથે સ્વીકારો. હસ્ત-મૈથુન એક સ્વસ્થ આદત છે. ઘણી વખત પુરુષો સાથે એવું બને છે કે તેમને હસ્ત-મૈથુન કરવાની તીવ્ર ઈચ્છા હોય છે અને તેઓ તેને કરીને સંતોષ મેળવે છે. એમાં કંઈ ખોટું નથી, હા, પણ એનું વધારે પડતું પણ સારું નથી.
તેથી, આવા વિચારોને તમારા હૃદયમાંથી દૂર કરો. કેટલીકવાર તે ચોક્કસ વ્યક્તિની પસંદગી પર પણ આધાર રાખે છે. કોઈપણ રીતે, સં@ભોગ કરવા માટે હસ્ત-મૈથુન સલામત વિકલ્પ છે. તેના વિશેના તમારા વિચારો અને ગેરસમજોને દૂર કરો અને તમારી જાતીય જીવનનો આનંદ માણો.
સવાલ.અમારા લગ્નને એક વર્ષ થઈ ગયું છે. તાજેતરમાં મને કસુવાવડ થઈ હતી. આવી સ્થિતિમાં જાતીય સંબંધોને લઈને પણ ડર રહે છે. એટલા માટે મેં સે@ક્સને લઈને થોડું અંતર રાખ્યું છે, પરંતુ પતિ સે@ક્સ કરવા માંગે છે, જ્યારે મને લાગે છે કે આવા સમયે સે@ક્સ કરવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે નહીં. શું તમે કહી શકો છો કે ગર્ભપાત પછી કેટલા દિવસ પછી શારી-રિક સંબંધ બાંધવો વધુ સારું છે?
જવાબ.જો ગર્ભપાત પછી તમારું રક્તસ્ત્રાવ બંધ થઈ ગયું હોય, તો તમે સે@ક્સ કરી શકો છો. પરંતુ તે જ સમયે, એ હકીકત પર ધ્યાન આપો કે તમારા નીચલા પેટમાં કોઈ દુખાવો નથી. જો તે દુઃખ પહોંચાડે છે, તો જાતીય સંબંધો બનાવશો નહીં.
આ સિવાય એ પણ ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે ફરીથી માતા બનવા ઈચ્છો છો, ત્યારે ગર્ભધારણ કર્યા પછી ત્રણ મહિના સુધી સે@ક્સ કરતી વખતે ઓર્ગેઝમ ટાળો, એટલે કે અતિ આનંદમાં ન જાવ.
આવી સ્થિતિમાં ફોરપ્લે વધુ સારો વિકલ્પ છે. વાસ્તવમાં, તમને હેબીચ્યુઅલ મિસકેરેજ થયો છે, એટલે કે ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં ગર્ભપાત ઇતિહાસ રહ્યો છે. તેથી આવી સ્થિતિમાં સે@ક્સ કરતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.