પ્રશ્ન.હું સુરતની ટેક્સટાઇલ મિલમાં કામ કરું છું. લગ્ન પછી છ મહિના બાદ પ્રેગ્નન્ટ થઈ છું. મારે એ જાણવું છે કે ગર્ભાવસ્થા દરમ્યાન સેક્સ માણવું હિતાવહ છે? ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રી હસ્તમૈથુન કરી શકે?
ઉત્તર : તંદુરસ્ત સ્ત્રીએ ગર્ભાવસ્થા દરમ્યાન દુખાવો થતો હોય કે લોહી નીકળતું હોય તો સંભોગ કરવાનું ટાળવું જોઈએ. સ્ત્રી ભૂતકાળમાં પ્રથમ ત્રણ મહિના દરમ્યાન ગર્ભપાત કરાવી ચૂકી હોય તો ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન સંભોગ ટાળવો જોઈએ. જો સ્ત્રીને વારંવાર કસુવાવડ થતી હોય તો ચોથાથી છઠ્ઠા મહિના દરમ્યાન સંભોગ એના માટે નિષિદ્ધ છે. સાતમા મહિનાથી પ્રસૂતિના દિવસ સુધી સ્ત્રી સંભોગ કરી શકે છે. પેટ પર વજન ન આવી પડે એ રીતે સંભોગ કરવો.
કોઈ પણ કારણસર સ્ત્રી ગર્ભાવસ્થા દરમ્યાન સંભોગ કરી શકે તેવી સ્થિતિમાં ન હોય ત્યારે એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે એણે અન્ય કોઈ રીતે ઓર્ગેઝમ (જાતીય પરાકાષ્ઠા) પર પહોંચવાનું પણ ટાળવું જોએ, જેમાં હસ્તમૈથુનનો સમાવેશ પણ થઈ ગયો. સામાન્ય સંભોગ દરમ્યાન ગર્ભાશય જેટલું સંકોચન પામે છે તેના કરતા હસ્તમૈથુન પછી થતું સંકોચન ઘણું વધારે તીવ્ર હોય છે. ગર્ભાવસ્થામાં સેક્સ માણવા બાબતે ડોક્ટરની સલાહ લેવી.
પ્રશ્ન : હું ૨૯ વર્ષની અપરિણત સ્ત્રી છું. મારા યોનિમાર્ગની આસપાસની ચામડી પર મોટા ડાઘ દેખાય છે. ચામડીના રોગોના ડોક્ટરની સલાહ પ્રમાણે મેં મલમ લગાવી જોયો, પરંતુ ત્વચાનો રંગ એવો ને એવો જ છે. રાતે મારે બાથરૂમ જવા ઊઠવું પડે છે, પણ બાથરૂમમાં જાઉં ત્યારે પેશાબ નથી થતો. હું આ પ્રોબ્લેમથી કંટાળી ગઈ છું. પ્લીઝ મને આનો ઉપાય બતાવશો.
ઉત્તર : તમેપેથોલોજિકલ લેબોરેટરીમાં યુરિન ટેસ્ટ કરાવી લો. એના રિપોર્ટમાં પસ સેલ્સ આવે તો તમારે મૂત્રમાર્ગના ઇન્ફેક્શનની સારવાર લેવી જરૂરી છે. આની સારવાર બાદ બાથરૂમમાં નડતી સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.
કાળા ડાઘ માટે કોઈ સારા ડર્મેટોલોજિસ્ટ (ત્વચારોગના નિષ્ણાત)ને મળો અને તેમને કહો કે આ ડાઘની સાથે ખંજવાળ પણ આવે છે. આ સિમ્પલ પ્રોબ્લેમ છે અને સારવાર દ્વારા એનો આસાનીથી ઉપચાર થઈ શકે છે.
પ્રશ્ન : મારી ઉંમર ૨૧ વર્ષની છે. મને ચારેક વર્ષથી હસ્તમૈથુનની આદત પડી ગઈ છે. આને કારણે મારી આંખો ઊંડી ઉતરી ગઈ છે, આંખો ફરતે કૂંડાળાં રચાઈ ગયાં છે અને આંખ પાસેની ચામડી પર કરચલી પડી ગઈ છે. મારા મિત્રો કહે છે કે હસ્તમૈથુનને કારણે દરેકને આવું થાય. મને હવે ચિંતા થવા લાગી છે. હું મારી ઇચ્છાઓ દબાવી પણ નથી શકતો. આનો કોઈ ઇલાજ છે?
ઉત્તર : હસ્તમૈથુન એ સંભોગ જેટલી જ સામાન્ય ક્રિયા છે. સંભોગમાં ઇન્દ્રિય જે ક્રિયા યોનિમાં કરે છે એ જ ક્રિયા હસ્તમૈથુનમાં મુઠ્ઠીમાં કરે છે. સાદી ભાષામાં કહીએ તો તમને હિન્દી આવડતું હોય તો મરાઠી જલદી શીખી શકાય, કારણ કે બેઉની લિપિ સમાન છે.
આંખો ફરતે કૂંડાળાં થવાની સમસ્યા માટે રાતના ઉજાગરા અથવા બીજા કારણો જવાબદાર હોઈ શકે છે. આયુર્વેદમાં આનો સારો, સલામત અને સાવ સસ્તો ઇલાજ દેખાડયો છે. આંખના કૂંડાળાં પર રાતે સૂતી વખતે ગાયનું ઘી લગાવી જુઓ.
પ્રશ્ન : અમારાં લગ્નને એક વર્ષ થયું છે. મારી પત્નીને અચાનક એક દિવસ વાઈનો હુમલો આવ્યો. ડૉક્ટરે ખૂબ પૂછપરછ કરી, ત્યારે એણે કહ્યું કે એને ૬-૭ વર્ષ પહેલાં પણ આવો હુમલો આવ્યો હતો. આથી ડૉક્ટરની સલાહ પ્રમાણે તેની દવા શરૂ કરવામાં આવી. દવા ચાલુ હતી તે દરમિયાન એ સગર્ભા બની અને અજાણતાં જ એ દોઢ મહિના સુધી દવા લેતી રહી. પછી ડૉક્ટરને બતાવતાં ખબર પડી કે દવાઓની ગર્ભ પર ખરાબ અસર પડી શકવાથી અમે ગર્ભપાત કરાવી નાખ્યો. હવે અમને એ વાતની ચિંતા થાય છે કે ભવિષ્યમાં સંતાનસુખ મળી શકશે?
ઉત્તર : તમે શા માટે અને શેની ચિન્તા કરો છો. તે તમે સ્પષ્ટ જણાવ્યું નથી. જો તમે પ્રથમ ગર્ભપાત કરાવવાને કારણે ચિંતિત હો, તો તે માટે નિશ્ચિંત રહો, કેમકે મોટા ભાગના કિસ્સાઓમાં આનાથી સ્ત્રીની ગર્ભધારણશક્તિ પર વિપરિત અસર પડતી નથી. અલબત્ત, કેટલાક કિસ્સાઓમાં અંડવાહિનીઓનો માર્ગ બંધ થાય છે, ત્યારે ગર્ભધારણ અવશ્ય એક મુશ્કેલ સમસ્યા બની જાય છે, છતાં તેના માટે યોગ્ય ઈલાજ છે.
તમારી ચિંતાનું બીજું મુખ્ય કારણ કદાચ તમારી પત્નીને આવતો વાઈનો હુમલો છે. તેના લીધે ગર્ભધારણ શક્તિ પર કંઈ પ્રતિકૂળ અસર પડતી નથી. શિશુની ભૂ્રણઅવસ્થા દરમિયાન યોગ્ય રીતે શારીરિક વિકાસ ન થાય અને બાળક કોઈ વિકાર ધરાવતું જન્મે, એવી આશંકા અવશ્ય રહે છે. જોકે ઘણા કિસ્સાઓમાં આ મુશ્કેલી નડતી નથી, બાળક સ્વસ્થ જન્મે છે.
તમારે માત્ર સંતાનસુખની જ નહીં, તમારી પત્નીના સ્વાસ્થ્યની સંભાળ અંગે પણ ચિંતા રાખવી જોઈએ. પત્નીને ફરીથી આવો હુમલો ન આવે, તે માટે ડૉક્ટરની સલાહ મુજબ દવા અવશ્ય લેવડાવવી. મોટા ભાગે આ રોગમાં ત્રણ વર્ષ સુધી દવા લેવાની હોય છે. કેટલાક કિસ્સાઓમાં એથી પણ વધુ સમય સુધી દવા લેવી પડે છે.
પ્રશ્ન : મારી ઉંમર ૨૪ વર્ષ છે. લગ્નને દોઢ વર્ષ થયું છે. મારા પતિ એમના પરિવારમાં એકમાત્ર પુત્ર હોવાથી બધાં ઈચ્છે છે કે અમને વહેલી સંતાનપ્રાપ્તિ થાય. મેં બે ડૉક્ટરોને બતાવ્યું છે અને તેમની સલાહ પ્રમાણે તપાસ પણ કરાવી છે. રિપોર્ટમાં કોઈ પ્રકારની ખામી જણાઈ નથી. ડૉક્ટરોએ મારા પતિને પણ તપાસ કરાવી જોવાનું કહ્યું, પણ એ તપાસ કરાવવા નથી ઈચ્છતા.
ડૉક્ટર મને ડી એન્ડ સી કરાવવાની (ગર્ભાશયના મુખને પહોળું કરાવવાની) સલાહ આપે છે, તેની શી જરૂર છે, તે મને સમજાતું નથી. મારો માસિક સ્ત્રાવ નિયમિત છે. હું શું કરું?
ઉત્તર : તમારા ડૉક્ટર જ તમારા પતિને સમજાવે કે એમના સહકાર વિના વધુ તપાસ અને સારવાર થઈ શકે નહીં, તે વધુ સારું છે. બાળક વિશે કરવામાં આવતી તપાસ ક્રમાનુસાર થતી હોય છે અને એ પ્રમાણે આગળ ન વધવાથી વધારે ગૂંચવાડો ઊભો થાય. તમારા પતિ તપાસ ન કરાવે તો શક્ય છે કે તમે અકારણ એક પછી એક તપાસમાં અટવાતાં જ રહો અને તેનાથી કંઈ લાભ નહીં થાય. જો કોઈ એમને સારી રીતે સમજાવે, તો એ વાતની ગંભીરતા ચોક્કસ સમજી શકશે